આસામમાં પુરના કારણે 28 જિલ્લાના 18.94 લાખ લોકો પ્રભાવિત થયા છે. રાજ્યના આંકડા અનુસાર, 96 મંડળમાં આવતા 2930 ગામડામાં હાલમાં પાણીમાં છે.
આસામમાં પુરની ભયાનક સ્થિતિ
કેટલાય ગામડાએ જળસમાધી લીધી
લાખો લોકો થયા પ્રભાવિત
અસમ સ્ટેટ ડિજાસ્ટર મેનેજમેન્ટ અથોરિટીએ જાણકારી આપી છે કે, અસમમાં પુરના કારણે વધુ નવ લોકોના મોત થઈ ગયા છે. જેમાં કુલ મૃત્યુ પામનારા લોકોની સંખ્યા હવે 54 થઈ ગઈ છે. અસમના હોજઈ, નલબાડી, બઝલી, ધુબરી, કામરૂપ, કોકરાઝાર અને સોનિતપુર જિલ્લામાં મોતની યાદી મળી છે. રાજ્યમાં આ વર્ષે પુર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 54 લોકોના જીવ ગયા છે.
આસામમાં પુરના કારણે 28 જિલ્લાના 18.94 લાખ લોકો પ્રભાવિત થયા છે. રાજ્યના આંકડા અનુસાર, 96 મંડળમાં આવતા 2930 ગામડામાં હાલમાં પાણીમાં છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પુરના પાણીથી પ્રભાવિત જિલ્લામાં 43338.39 હેક્ટર પાક જળમગ્ન થઈ ગયો છે. રાજ્યની કેટલીય જગ્યા પર બેકી, માનસ, પગલાડીયા, પુથિમારી, જિયા ભરાલી, કોપિલીમાં બ્રહ્મપુત્ર ન દીનું જળ સ્તર ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે.
At 6 am today, PM Modi called me to enquire about flood situation in Assam. While expressing his concerns over hardships being faced by people due to this natural calamity, PM assured all help from Central Govt. Humbled by his reassuring generosity: Assam CM Himanta Biswa Sarma pic.twitter.com/6SqNOvs8DN
હાલમા 1,08,104 પુર પ્રભાવિત લોકો જિલ્લા પ્રશાસન દ્વારા સ્થાપિત 373 રાહત શિબિરોમાં રહી રહ્યા છે. જેમાંથી એકલા બઝલી જિલ્લામાં 3.55 લાખ લોકો, દરાંગ જિલ્લામાં 2.90 લાખ, ગોલપાડામાં 1.84 લાખ, બારપેટામાં 1.69 લાખ, નલબાડીમાં 1.23 લાખ, કામરૂપમાં 1.199 લાખ અને હોજઈમાં 1.05 લાખ લોકો પ્રભાવિત થયા છે.
Assam | Severe waterlogging continues in different parts of Guwahati as a result of incessant rains in the past few days. (17.06)
તાજેતરના રિપોર્ટ મુજબ આસામમાં કામરૂપ જિલ્લામાં પુરની સ્થિતિ હજૂ પણ ખરાબ છે. પુરનું પાણી નવા વિસ્તારમાં પ્રવેશી રહ્યું છે. જેનાથી 70,000થી વધારે લોકો પ્રભાવિત થયા છે. સતત વરસાદથી બોરોલિયા નદી અને જિલ્લાની અન્ય મુખ્ય નદીનું જળસ્તર વધી રહ્યું છે. બોરોલિયા નદીમાં પાણીથી ગુરૂવારે ચૌમુખા બંધનો એક ભાગ તણાઈ ગયો હતો અને હાજો વિસ્તારમાં કેટલાય ગામડા પાણીમાં ગરકાવ થયા હતા.