ઉત્તર ભારતનાં મોટા ભાગનાં રાજ્યો આજ કાલ વરસાદી આપત્તિથી પરેશાન છે. બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ તેમજ આસામ સહિત કેટલાંય રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. આસામના ૩૩ જિલ્લામાંથી ૧૭ જિલ્લામાં ઘોડાપૂર આવ્યાં છે. ઘોડાપૂરના કારણે ૪.ર૩ લાખ લોકો વિસ્થાપિત થયા છે.
ગૌહત્તીઃ ઉત્તર ભારતનાં મોટા ભાગનાં રાજ્યો આજ કાલ વરસાદી (rain) આપત્તિથી પરેશાન છે. બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ તેમજ આસામ સહિત કેટલાંય રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. આસામ (AssamFloods) ના ૩૩ જિલ્લામાંથી ૧૭ જિલ્લામાં ઘોડાપૂર આવ્યાં છે. ઘોડાપૂરના કારણે ૪.ર૩ લાખ લોકો વિસ્થાપિત થયા છે.
Assam: Water level of Brahmaputra river flowing through Guwahati crosses warning level. V Gandhiya, Section Officer, Inland Waterways Authority says, "Water has crossed warning level, it is still not at the danger level. In 1-2 days, it can cross danger level here too," (11.7.19) pic.twitter.com/G7Z2XOtMfF
આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ઓથોરિટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર બ્રહ્મપુત્રામાં પાણીની સપાટી સતત વધી રહી છે અને ૧૭ જિલ્લામાં પૂરનાં પાણી ફરી વળ્યાં છે. તેના કારણે ૪.ર૩ લાખ લોકોને પોતાના ઘર બાર છોડીને સલામત સ્થળે આશ્રય લેવાની ફરજ પડી છે.
West Bengal: Vehicular movement on Sikkim-Darjeeling route on National Highway 10 in Kalimpong, affected due to heavy rainfall and landslide in the area. pic.twitter.com/qfJXVTi1Ab
પૂરના કારણે ૧૬,૭૩૦ હેકટર જમીનનો પાક ધોવાઇ ગયો છે. ૧૯ ગામોનો સંપર્ક કપાઇ ગયો છે. ૬૪થી વધુ રસ્તાઓ અને એક ડઝનથી વધુ પુલ પાણીમાં ડૂબી ગયાં છે. આસામના પાટનગર ઇટાનગરમાં સતત વરસાદને કારણે થયેલાં ભૂસ્ખલન (Landslide) માં એક વ્યકિતનું મોત થયું હતું અને બે ઘાયલ થયા હતા. બીજી બાજુ દિલ્હીમાં બિલકુલ વરસાદ નથી અને તેના કારણે લોકો ગરમીથી પરેશાન છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહમાં પણ દિલ્હીમાં વરસાદ પડવાની કોઇ શકયતા નથી.