પૂરને કારણે 8 લાખથી વધારે લોકોની જિંદગી પર અસર પડી રહી છે. અહીં 27માંથી 21 જિલ્લામાં પૂરને કારણે પરિસ્થિતિ વિકટ બની છે. અધિકારીઓ મુજબ, અહીં નદીઓ ખતરાના નિશાન ઉપર વહી રહી છે. અત્યાર સુધીમાં પૂરને કારણે 6 લોકોએ જીવ ગુમાવ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદનના અનુમાન બાદ ફેરી સેવાઓને શુક્રવારે બંધ કરી દેવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું કે, '27 હજાર હેક્ટર ખેડૂતોની ભૂમિ પૂરને ચપેટમાં છે અને 7 હજારથી વધારે લોકોને 68 રાહત કેમ્પમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.'
ઉપરી આસામમાં ધીમાજી અને લખીમપુર અને નીચલા આસામના બોંગાઇ ગામ અને બારપેટામાં સ્થિતિ ખુબ જ ખરાબ છે. અધિકારીઓ મુજબ, ઉપરી આસામમાં આવેલા પૂરની અસર નીચલ સ્તરે પણ થઇ રહી છે. ભૂટાનના પણ ઘણા ક્ષેત્રોમાં પૂરની ચેતવણી આપવામાં આવી છે.
આસામના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું કે, '17 જિલ્લામાં બારાપેટામાં હાલત ખુબ જ ખરાબ છે અને અહીંથી 85 હજારથી વધારે લોકોના શેલ્ટરમાં મોકલવામાં આવ્યા છે.'
આપને જણાવીએ કે પૂરનું પાણી ઉપરી આસામના કાજીરંગા નેશનલ પાર્કમાં ઘુસી ગયું છે. જેથી જાનવરોને પણ સુરક્ષિત જગ્યાએ મોકલવાની કોશિશ કરવામાં આવી રહી છે. ઉપરાંત નેશનલ હાઇવે પર વાહનોના આવવા જવા પર રોક લગાવી દેવામાં આવી છે.
મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે સ્થિતિને જાણવા માટે ક્ષેત્રોના ડેપ્યૂટી કમિશ્નરથી વીડિયો કોન્ફરન્સિસ દ્વારા વાત કહી હતી. એમણે ડેપ્યૂટી કમિશનરને નિર્દેશ આપ્યા હતા કે ઇમરજન્સીમાં આવનારી કોલનો તુંરત જવાબ આપવામાં આવે.