ચીનમાં ભૂસ્ખલનના વગલે સાંગપો નદીનો પ્રવાહ રોકાયો હતો. જેના પગલે બનેલુ કૃત્રિમ તળાવ અરૂણાચલ પ્રદેશ અને આસામ માટે ખતરો બન્યો છે.
ત્યારે આજે ફરી અરૂણાચલ પ્રદેશમાં સિયાંગ નદીના પાણીના સ્તરમાં વધારો થયો છે. ત્યારે આસામ અને અરૂણાચલ પ્રદેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ એલર્ટ પર છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ આસામાના સીએમ સર્વાનંદ સોનોવાલને સંભવિત ઉપાય કરવા માટે કહ્યું છે.
ધીમજી ડિબ્રુગઢ લખીમપુર અને તિનસુકિયા જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાંગપો નદી ભારતમાં પ્રવેશ્યા બાદ સિયાંગ અને આસામમાં બ્રહ્મપુત્રા તરીકે ઓળખાય છે.
જેમાં પૂરની સ્થિતિ ઊભી થાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ કોલકત્તાથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની છ ટીમ પણ પહોંચવાની તૈયારીમાં છે.
ઉલ્લેખનીય છે કે તિબેટના મિલિન કાઉન્ટીના એક ગામમાં ભૂસ્ખલન થતા બ્રહ્મપુત્રા નદીનો મુખ્ય પ્રવાહ રોકાયો હોત. ચીને બુધવારે કૃત્રિમ તળાવ બન્યુ હોવાની માહિતી પણ આપી હતી. પણ હવે આ તળાવનું પાણી પણ ઓવર ફ્લો થતા પરિસ્થિતિ વકરી છે.