કોંગ્રેસમાં પૂર્ણકાલિક અધ્યક્ષની માંગ સતત જોર પકડી રહી છે. પાર્ટીના અનેક નેતાઓ રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષ બનાવવાના પક્ષમાં છે. તેમાં એક નામ આસામ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રિપુન બોરા. બોરાએ પોતાના હાલના નિવેદનમાં કહ્યું કે, ‘રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવામાં આવવા જોઈએ કેમ કે નરેન્દ્ર મોદી ફક્ત તેમનાથી ડરે છે.’
રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવામાં આવવા જોઈએ કેમ કે...
...નરેન્દ્ર મોદી ફક્ત તેમનાથી ડરે છે.
રાહુલ ગાંધી આ માટે તૈયાર છે કે નહીં તે સ્પષ્ટ થઈ શક્યુ નથી
રિપુન બોરાએ કહ્યું કે, ‘કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાજ્યસભા સાંસદોની સાથે થયેલી પૂર્વની વીડિયો કોન્ફરન્સમાં પણ મે સોનિયા ગાંધીને અપીલ કરી હતી કે કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ રાહુલ ગાંધીને સોપવામાં આવે કેમ કે નરેન્દ્ર મોદી ફક્ત રાહુલ ગાંધીથી ડરે છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની મહત્વની બેઠક થવાની છે. મનાઈ રહ્યું છે કે આ બેઠકમાં પાર્ટીના નેતૃત્વને લઈને નિર્ણય થવાનો છે. ચર્ચા છે કે રાહુલ ગાંધી ફરી અધ્યક્ષ બની શકે છે. જોકે રાહુલ ગાંધી આ માટે તૈયાર છે કે નહીં તે સ્પષ્ટ થઈ શક્યુ નથી.
મીડિયાના રિપોર્ટ મુજબ સોનિયા ગાંધી રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ બનાવવા માટે ઈચ્છુક છે. પરંતુ રાહુલ ગાંધી આ માટે તૈયાર ન થાય તો વધુ એક ફોર્મુલા પર મંથન થશે. જેમાં સોનિયાની મદદ માટે બે ઉપાધ્યક્ષ બનાવવામાં આવી શકે છે.
નોંધનીય છે કે અનેક નેતાઓના સૂર કોંગ્રેસના નેતૃત્વના મુદ્દે વિરોધના સુર મજબૂત છે. જે રીતે કોંગ્રેસનું નેતૃત્વ નબળુ પડી રહ્યું છે તેને લઈને પૂર્ણકાલિક અધ્યક્ષની માંગ ઉઠી રહી છે.