આસામના CM હેમંત બિસ્વ શર્મા પર દિલ્હીના નાયબ CM મનિષ સિસોદિયાએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યો હતો. જેનો CM હેમંત બિસ્વ શર્માએ વળતો પ્રહાર કર્યો છે. ત્યારબાદ હિમંત બિસ્વા શર્માએ પણ એક બાદ એક કેટલાક ટ્વિટ કરી આ આરોપ પર પોતાની સ્પષ્ટતા કરી. તેમણે સાથે જ કહ્યું કે માત્ર અડધા કાગળ ન દેખાડો, હિમ્મત છે તો આખી માહિતી આપો.
આસામના મુખ્યમંત્રીએ પોતાના ટ્વિટ પર લખ્યું કે, એવા સમયમાં જ્યારે સમગ્ર દેશ 100થી વધુ વર્ષોમાં સૌથી ભીષણ મહામારીનો સામનો કરી રહ્યા હતા. આસામની પાસે કદાચ જ કોઈ પીપીઈ કિટ હોય. મારી પત્નીએ આગળ આવવા અને જીવન બચાવવા માટે સરકારને લગભગ 1500 ફ્રિ દાન કરવાનું સાહસ કર્યું. તેમણે એક રૂપિયો પણ ન લીધો.
એક બીજા ટ્વિટમાં તેમણે લખ્યું કે, મનીષ સિસોદિયાજી પોતાના તે સમય પોતાનું એક અલગ રૂપ દેખાડ્યું. તમે દિલ્હીમાં ફસાયેલા આસામના લોકોની મદદ માટે મારા કેટલાક કૉલ્સને ઠુકરાવી દીધા. હું એ ક્યારેય ન ભૂલી શકું જ્યારે મને દિલ્હીના શબઘરથી આસામના એક કોવિડ પીડિતના મૃતદેહ લેવા માટે 7 દિવસ રાહ જોવી પડી.
At a time when the entire country was facing the worst pandemic in over 100 years , Assam hardly had any PPE Kits
My wife took the courage of coming forward and donating around 1500 free of cost to the govt to save lives
— Himanta Biswa Sarma (@himantabiswa) June 4, 2022
હું સિસોદિયા સામે ગુનાહિત માનહાનિનો કેસ કરીશ: હેમંત બિસ્વ શર્મા
એક અન્ય ટ્વિટમાં આસામના મુખ્યમંત્રીએ લખ્યું કે, ઉપદેશ આપવાનું બંધ કરો અને હું જલ્દીથી તમને ગુવાહાટીમાં જોઈશું, કારણ કે તમે ગુનાહિત બદનક્ષીનો સામનો કરશે.
While you Mr Manish Sisodia at that point of time showed a completely different side. You refused my multiple calls to help Assamese people stuck in Delhi. I can never forget one instance when I had to wait 7 days just to get a Assamese covid victim’s body from Delhi’s mortuary.
— Himanta Biswa Sarma (@himantabiswa) June 4, 2022
— Himanta Biswa Sarma (@himantabiswa) June 4, 2022
વગર ટેન્ડરે PPE કિટનો કોન્ટ્રાક્ટ પોતાની પત્નીને આપ્યોઃ મનિષ સિસોદિયા
આ પહેલા મનીષ સિસોદિયાએ એક દસ્તાવેજ રજૂ કરતા પોતાના આરોપમાં કહ્યું કે, હિમંત બિસ્વા શર્માએ પોતાની પત્નીની કંપની અને દીકરાના પાર્ટનરની કંપનીઓને સરકારી ખરીદનો કોન્ટ્રાક્ટ અપાયો. જ્યારે 2020માં તેઓ આસામના સ્વાસ્થ્ય મંત્રી હતા, ત્યારે કોવિડની આડમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા.
મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યું, માનનીય મુખ્યમંત્રી @himantabiswa જી! આ રહી તમરી પત્નીની JCB ઇન્ડસ્ટ્રીઝના નામ 990/- પ્રતિ કિટના હિસાબથી 5000 કિટ ખરીદવાનો કોન્ટ્રાક્ટ... જણાવો શું આ કાગળ ખોટા છે? શું સ્વાસ્થ્ય મંત્રી રહેતા પોતાની પત્નીની કંપનીને વગર ટેન્ટરે પર્ચેસ ઓર્ડર આપવો ભ્રષ્ટાચાર નથી?