આસામની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ સહિત વિપક્ષી દળના નાગરિકતા સંશોધન કાયદાના ચૂંટણી મુદ્દા બનાવવા પર છે. બીજી તરફ ભાજપનું માનવું છે કે આ ચૂંટણીમાં સીએએની કોઈ અસર નહીં રહે. જાણો શું છે રાજકારણ
શનિવારે પ્રધાનમંત્રી મોદી છબુઆમાં રેલી કરશે
ભાજપનું માનવું છે કે આ ચૂંટણીમાં સીએએની કોઈ અસર નહીં રહે
કોંગ્રેસ સહિત વિપક્ષી દળ નાગરિકતા સંશોધન કાયદાને ચૂંટણી મુદ્દો બનાવી રહી છે કેમ કે...
શનિવારે પ્રધાનમંત્રી મોદી છબુઆમાં રેલી કરશે
આસામની 126 સીટો પર વિધાનસભાની ચૂંટણીની તૈયારીની વચ્ચે ચૂંટણી પ્રચાર તેજીથી ચાલી રહ્યો છે. શનિવારે દેશની રણનીતિના 2 મોટા નેતા આસામમાં રેલી કરશે, એક તરફ પ્રધાનમંત્રી મોદી છબુઆમાં રેલી કરશે. ત્યારે બીજ તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાર્ટીનો ઢંઢેરો જાહેર કરશે. આસામની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ સહિત વિપક્ષી દળના નાગરિકતા સંશોધન કાયદાના ચૂંટણી મુદ્દા બનાવવા પર છે. બીજી તરફ ભાજપનું માનવું છે કે આ ચૂંટણીમાં સીએએની કોઈ અસર નહીં રહે.
...તો સીએએ કાયદો લાગુ નહીં પાડે
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 2 દિવસના આસામ પ્રવાસ પર છે. શુક્રવારે તેમણે કહ્યું કે ડિબ્રુગઢમાં એક કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતા સીએએને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું કે કોંગ્રેસ રાજ્યમાં સત્તા પર આવશે તો સીએએ કાયદો લાગુ નહીં પાડે. રાહુલ સહિત સમગ્ર કોંગ્રેસ યુનિટ સીએએને લઈને સતત ભાજપ પર હુંમલો કરી રહી છે.
અન્ય બે નવા દળ પણ સીએએ મુદ્દે ચૂંટણીમાં ઉતરશે
આ દરમિયાન રાહુલ આસામી ગમછો પહેરેલા જોવા મળ્યા જેમાં સીએએ લખ્યુ હતુ અને તેના પર ક્રોસ બનાવેલુ હતુય 14 ફેબ્રુઆરીએ પણ રાહુલે આવો જ ગમચ્છો પહેર્યો હતો. આસામમાં સીએએના વિરોધમાં બનેલા બે સ્થાનીય દળ પણ આ વખતે ચૂંટણીમાં ઉતરી રહ્યા છે. જેનાથી આ વખતે ચૂંટણી 3 તરફની જંગ છેડાશે. આસામ જાતિય પરિષદ અને આરટીઆઈ કાર્યકર્ચા અખિલ ગોગોઈના સંગઠન કૃષક મુક્તિ સંગ્રામ સમિતિને રાયજોર દોલ નામની રાજનીતિક પાર્ટી બનાવી છે.
ભાજપ સીએએને મુદ્દો બનાવવાથી કરી દીધો ઈન્કાર
બીજી તરફ ભાજપ નેતાનું માનવુ છે કે આ વખતે આસામમાં સીએએનો મુદ્દો નહીં બનાવે. આસામ ભાજપ અધ્યક્ષ રંજીત કુમાર દાસને લઈને મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલનો દાવો કરી ચૂક્યા છે. સીએએ મુદ્દો નહીં હોય. આસામ સરકારમાં મંત્રી અને ભાજરના ચાણક્ય રહેલા હિંમત બિસ્વા શર્માએ પણ સીએએને ચૂંટણી મુદ્દો બનાવવાથી ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું કે ભાજપ સીએએ લાવવા પ્રતિબદ્ધ છે.
આ કારણ ભાજપ સીએએને લાગૂ કરવામાં કરી રહી છે મોડુ
રાજનીતિક એક્સપર્ટ જણાવે છે કે બંગાળમાં ચૂંટણીને જોતા ભાજપ સીએએના નિયમોને લાગૂ કરવામાં મોડું કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આસામમાં 2019માં ઓગસ્ટ મહિનામાં જારી કરવામાં આવે એનઆરીસને ફાઈનલ લિસ્ટમાં જે 19 લાખ લોકોના નામ કપાયા હતા. જેમાં 12 લાખ બંગાળી હિંદુ વોટર હતા. ત્યારે મમતા બેનર્જીએ આ મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો હતો. હાલમાં ગૃહ મંત્રાલયે લોકસભામાં જાણકારી આપી હતી કે સીએએના સંબોધનમાં નિયમો લાગૂ કરવા માટે 9 એપ્રિલ 2021 અને 9 જુલાઈ 2021 સુધી સમય આપાવમાં આવશે.