આસામમાં એઆઇયૂડીએફ (AIUDF)ના ધારાસભ્ય અનંત કુમાર માલો (Anant Kumar Malo) પણ NRC લીસ્ટ (Assam NRC List) થી બહાર થઇ ગયા છે. શનિવારે આવેલા એનઆરસી લીસ્ટમાં 3,11,21,004 લોકોને લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.
જ્યારે 19,06,657 લોકોનો લીસ્ટમાં સમાવેશ કરાયો નથી. એનસીઆરના સમન્વયક પ્રતીક હજેલાએ જણાવ્યું કે આમા તે લોકો પણ સામેલ છે જેમણે કોઇ દાવો નથી કર્યો. એમણે એમ પણ કહ્યું કે જે લોકો તેનાથી સહમત નથી તે ટ્રિબ્યૂનલમાં અપીલ કરી શકે છે. સુરક્ષાને ધ્યાનમાં લેતા રાજ્યના ઘણા વિસ્તારોમાં કલમ 144 લગાવાઇ છે. જે લોકોના નામ અંતિમ સૂચીમાં નથી તેમની સુરક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
કેન્દ્રે કહ્યું, જે લોકોને એનસીઆરથી બહાર કરાયા છે તેમને જિલ્લા કાનૂની અધિકારીઓથી કાનૂની સહાયતા મળશે. આ ઉપરાંત બીજેપી અને કોંગ્રેસ પણ તે લોકોની મદદ કરશે જે સાચ્ચા ભારતીય છે. આ સિવાય ઘણા એનજીઓ કાનૂની સહાયતા માટે આગળ આવ્યા છે. બહાર કરવામાં આવેલા અને સામેલ કરવામાં આવેલા લોકોની સૂચીને એનઆરસીની વેબસાઇટ પર જોઇ શકાય છે. એનઆરસીની વેબસાઇટ www.nrcassam.nic.in છે. એનઆરસી લિસ્ટ જાહેર થયાના થોડાક જ સમય બાદ તેની વેબસાઇટ ક્રેશ થઇ ગઇ.
ગૃહ મંત્રાલયે કહ્યું, 1000 ટ્રિ્બ્યૂનલના વિવાદોને દુર કરવા માટે સેટઅપ કરવામાં આવશે. 100 ટ્રિબ્યૂનલ્સ પહેલાથી જ ખુલી છે અને સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં 200 અને ટ્રિબ્યૂનલ્સનું સેટઅપ કરવામાં આવશે.
જો કોઇ ટ્રિબ્યૂનલમાં કેસ હારે છે તો તે હાઇકોર્ટ જઇ શકે છે અને બાદમાં સુપ્રીમ કોર્ટ જઇ શકે છે. કોઇની પણ અટકાયત કેન્દ્રમાં ત્યા સુધી નહીં રાખવામાં આવે જ્યાં સુધી તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ ન થઇ જાય.
ઓવૈસી બોલ્યાં, ભાજપે સબક શીખવો જોઈએ
બીજી NRC લિસ્ટ જાહેર થયા બાદ AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, ભાજપે સબક શીખવો જોઈએ. તેમણે હિંદુ અને મુસ્લિમના આધાર પર દેશભરમાં NRCની માંગ બંધ કરી દેવી જોઈએ. તેમણે શીખવું જોઈએ કે અસમમાં શું થયું. ગેરકાયદે ઘૂસણખોરોનો ભ્રમ તૂટી ગયો છે. તેમણે કહ્યું આ મારી આશંકા છે કે ભાજપ નાગરિકતા સંશોધન બિલ દ્વારા એવું બિલ લાવી શકે છે કે જે તમામ બિન-મુસ્લિમોને નાગરિકતા આપી શકે છે જે સમાનતાના અધિકારનું ઉલ્લંઘન હશે. ઓવૈસીએ કહ્યું કે અસમમાં કેટલાંય લોકોએ જણાવ્યું કે માતા-પિતાના નામ લિસ્ટમાં છે પરંતુ બાળકોના નથી. ઉદાહરણના રૂપે મોહમ્મદ સનાઉલ્લાહએ સેનામાં કામ કર્યુ છે. તેમનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. મને આશા છે કે તેમને ન્યાય મળે.
Asaduddin Owaisi, AIMIM: Many people in Assam have told me that the parents' names are included, but names of their children are excluded. For example, Mohammad Sanaullah, he has served in Army. His case is pending in High Court. I am sure that he will also get justice. #NRCListhttps://t.co/SWuIUV6L6Apic.twitter.com/KpBixQ4oUe