પેપર લીક્ના તાર ઉતર ગુજરાત સુધી લંબાયા છે. આ વચ્ચે, બપોર બાદ એક ચર્ચાએ જોર પકડ્યું હતું કે, GSSSBના ચેરમેન અસિત વોરા રાજીનામું આપશે. પણ એ વાત પર ખુદ વોરાએ જ રદિયો આપી દીધો.
GSSSBના ચેરમેન અસિત વોરાનો રદિયો
'હું રાજીનામું આપવાનો નથી' અસિત વોરા
પેપર લીક થયા બાદ ચર્ચાએ પકડ્યું હતું જોર
છેલ્લા 48 કલાકથી હજારો યુવાનોની આશા સમી હેડ ક્લાર્ક ભરતી પરીક્ષાના પેપર લીક થવા મામલે ખળભળાટ મચી ગયો છે. પેપર લીક્ના તાર ઉતર ગુજરાત સુધી લંબાયા છે. આ વચ્ચે, બપોર બાદ એક ચર્ચાએ જોર પકડ્યું હતું કે, GSSSBના ચેરમેન અસિત વોરા રાજીનામું આપશે. જો કે, તેમણે આ વાતને રદિયો આપતા કહ્યું હતું કે, હું રાજીનામુ આપવાનો નથી
ગુજરાતમાં ફરી એકવાર પેપરલીક મામલે ઘમાસાણ મચી ગયો છે, રાજ્યના યુવાનોમાં એક બાદ એક આવી ઘટનાઓ થતાં રોષ જોવા મળી રહ્યો છે અને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા સામે ભારે ગુસ્સો લોકોમાં જોવા મળી રહ્યો છે. જોકે સરકાર અસિત વોરા પર મહેરબાન હોય તેવું દેખાઈ રહ્યું છે, આજે ગુજરાત સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે અસિત વોરાને પદ પરથી હટાવવામાં આવશે નહીં.
પેપરલીક કાંડ પછી પણ સરકારનો અસિત વોરા પર ચાર હાથ
એક બાજુ જ્યાં યુવરાજ સિંહ સહિતનાં નેતા અસિત વોરા સામે આરોપો લગાવી રહ્યા છે અને તપાસ માટે તેમને પદ પરથી દૂર કરવા માટે માંગ કરવામાં આવી રહી છે ત્યારે સરકારને અસિત વોરા પર પૂરો વિશ્વાસ છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે અસિત વોરાને ક્લીનચિટ આપી છે.
અસિત વોરાને ચેરમેન પદેથી નહીં હટાવાય - વાઘાણી
વાઘાણીએ આજે અસિત વોરાના વખાણ કરતાં કહ્યું કે તેમના સમયમાં ગુજરાતમા સારી રીતે પરીક્ષા લેવાઈ રહી છે. અને તેમને ચેરમેન પદેથી હટાવવામાં આવશે નહીં. જૉ પેપરલીક થયું હશે તો જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે.
અમને પૂરાવા નથી મળ્યા: અસિત વોરા
હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે ગૌણ સેવા પસંદગી બોર્ડના ચેરમેન અસિત વોરા ગાંધીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યમાં 88 હજાર ઉમેદવારોએ હેડ કલાર્કની પરીક્ષા આપી છે, સરકારને બીજા દિવસે ટીવી મીડિયાથી અમને ખબર પડી કે પેપરલીક થયું છે. મંડળ પાસે આજદિન સુધીમાં પેપરલીક મામલે કોઈ જ ફરિયાદ આવી નથી. હાલ આ મામલે સાબરકાંઠામાં 16 ટીમો દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.અને જો ગેરરીતિ જણાશે તો કડકમાં કડક પગલાં લેવાશે. તેમજ તેણે ઉમેર્યું હતું કે, પેપરલીક થયું હોય તેવા કોઈ જ નક્કર પુરાવા અમને મળ્યા નથી, પોલીસને કોઈ પુરાવા મળશે તો મંડળ ફરિયાદ દાખલ કરશે.
અસિત વોરાની શંકાસ્પદ ભૂમિકા, તેમને તપાસમાંથી દૂર કરવામાં આવેઃ યુવરાજસિંહ
હેડ ક્લાર્ક પેપર લીક આક્ષેપ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમે ગૌણ સેવાના સચિવને પુરાવા આપ્યા હતા. 2 વાગ્યે પેપર ફૂંટ્યા અંગે જાણ કરી હતી. પરંતુ તેમણે કહ્યું કે ઓથેન્ટિંગ પુરાવા આપો. હવે તેઓ કયા પુરાવાને ઓથેન્ટિંગ માને છે તે અમને નથી ખબર. આ પેપર લીકની તપાસમાં GSSSBના ચેરમેનની શંકાસ્પદ ભૂમિકા છે, તેથી તપાસમાંથી અસિત વોરા ને દૂર કરવામાં આવે એવી માંગ છે. અમે અસિત વોરાને તપાસથી દુર કરીને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અસિત વોરા અધ્યક્ષ હતા ત્યારે અનેક કૌભાંડ થયા છે. અસિત વોરાને અધ્યક્ષ પદેથી દુર કરવામાં આવે.