તારક મહેતા...કા ઉલ્ટા ચશ્માની દયા બેન ઘણા વર્ષોથી શોમાંથી બહાર છે. આ શોમાં દિશા વાકાણીના કમબેકની દર્શકો રાહ જોઇ રહ્યાં છે પરંતુ તેના આવવાના અણસાર નથી દેખાઇ રહ્યાં.
દિશા વાકાણીની વાપસી પર જવાબ
પ્રોડ્યુસરે કહ્યું નવી દયા લાવવામાં આવશે
દિશાના ફેમિલી પ્રોબ્લેમની રિસપેક્ટ કરુ છુ : અસિત
અસિત મોદીએ આપ્યો જવાબ
દિશા વાકાણીને લઇને અસિત મોદીએ કહ્યું કે ઘણા સમયથી તે શો સાથે જોડાયેલી છે. તો તેની ડિલીવરી માટે તેને વિષેશ સુવિધા આપવામાં આવી હતી. તે પહેલા એક્ટ્રેસ મેટરનીટિ લીવ પર હતી. દિશા તારક મહેતા...માં 2017માં છેલ્લે જોવા મળી હતી. દર્શકો પણ કહી રહ્યાં છે કે દિશા શોમાં જલ્દીથી જલ્દી પાછી આવે.
નવી દયા આવશે
અસિત મોદીએ કહ્યું કે ઘણી ઓછા એવા એક્ટર્સ હોય છે જેમને ઓડિયન્સનો આટલો પ્રેમ મળે છે. તે ભાગ્યશાળી છે. આવા માહોલમાં આશા છે કે તે જલ્દી શોમાં વાપસી કરશે અને જો ફેમિલીના કારણે તે શોમાં આવી શકે તેમ નથી તો આ વાતની પણ અમે રિસ્પેક્ટ કરીએ છીએ. દિશા આવે કે ન આવે દયાબેન શોમાં જરૂર પાછા આવશે. નવી દયા લાવવામાં આવશે શો મસ્ટ ગો ઓન.
હજુ સુધી દયાબેન પાછા આવ્યા નથી એટલે લોકો અટકળો લગાવતા રહેતા હોય છે. નવી કે જુની કોઇ દયાબેન શોમાં દેખાઇ નથી. હાલમાં જ એક ફેને દયા બેનને પાછા લાવવાની માગ ઉઠાવી જેના પર શોના ડિરેક્ટર માલવ રાજદાએ રિએક્ટ કર્યુ છે.
તારક મહેતા...ના ડાયરેક્ટર માલવ રાજદાને એક ફેને કહ્યું કે પ્લીઝ નવી દયાબેન લઇ આવો સર આટલી રાહ જોઇને પણ શું કંઇ ફાયદો થશે, તમે જ વિચારો બીચારા ફેન્સ ક્યારના રાહ જોઇ રહ્યાં છે.
માલવે જવાબમાં લખ્યું કે હું વધારે બોલીશ તો આ લોકો નવો ડાયરેક્ટર લઇ આવશે. એક્ટર્સ અને બીજી વસ્તુઓનો નિર્ણય હું ન લઇ શકું પરંતુ જે થાય છે તે સારા માટે જ થાય છે.
મહત્વનું છે કે 2017માં દયાનો રોલ કરનાર અભિનેત્રી દિશા વાકાણીએ મેટરનીટિ લીવ લીધી હતી. ત્યારથી અત્યાર સુધી ના તો દયા પાછી આવી છે ના નવી દયા શો પર આવી છે.
2017 બાદ દયા એક જ વાર શોમાં દેખાઇ છે. ત્યારે એવી ચર્ચા હતી કે દયા શોમાં વાપસી કરી રહી છે પરંતુ દિશાના પતિએ ખુલાસો કર્યો કે તે માત્ર એક જ એપિસોડ માટે આવી હતી. દિશાએ એક મંદિરમાં એપીસોડ માટે શૂટ કર્યુ હતુ અને તે વખતની ટીઆરપીમાં વધારો જોવા મળ્યો હતો.