ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં સોઢીનો રોલ પ્લે કરનાર ગુરૂચરણ સિંહે શો છોડી દેવાના સમાચારો સામે આવી રહ્યાં હતા. ત્યારે હવે આ સમાચાર પર શોના પ્રોડ઼્યૂસર અસિત મોદીનું નિવેદન સામે આવ્યું છે. એક ઈન્ટરવ્યૂમાં અસિત મોદીએ કહ્યું- મને ખબર નથી કે આ સમાચાર ક્યાંથી ફેલાયા છે. મને સોઢી તરફથી આ અંગે કોઈ માહિતી મળી નથી. હાલ હું શો માટે કહાની લખવા અને શોને ફરી શરૂ કરવામાં વ્યસ્ત છું.
તારક મહેતા વર્ષોથી દર્શકોનો ફેવરિટ શો રહ્યો છે
તો હવે સોઢીએ શો છોડી દીધો હોવાના સમાચાર આવી રહ્યાં છે
શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ જણાવી આ વાત
અસિત મોદીને જ્યારે કલાકારોના પેમેન્ટમાં કાપ કરવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું- અમે અમારા શોથી જોડાયેલા કોઈપણ કાલાકારનું પેમેન્ટ કાપ્યું નથી. હું પૂરી કોશિશ કરીશ કે ભવિષ્યમાં પણ આવું ન થાય. આ સિવાય અમારા તરફથી કોઈપણ કલાકારને શૂટિંગ પર પાછા ફરવા માટે ફોર્સ કરવામાં આવી રહ્યું નથી. જો કોઈપણ કલાકારા બહારની સ્થિતિને જોઈને સુરક્ષિત ફીલ નથી કરતું અને શૂટિંગ પર આવવા નથી માંગતું તો અમે તેના આ નિર્ણયનો સન્માન કરીશું.
થોડાં સમય પહેલાં એક ઈન્ટરવ્યૂમાં અસિત મોદીએ કહ્યું હતું કે, દરેક કલાકાર હવે સમજે છે કે હવે શૂટિંગ શરૂ કરવું જોઈએ. બહુ લાંબો સમય થઈ ગયો છે. આપણે હવે વાયરસની સાથે જીવતા શીખવું પડશે. આપણે આખું વર્ષ તો ઘરમાં કેદ થઈને ન રહી શકીએ. લોકોને રોજિંદી જરૂરિયાત માટે પણ ઘરમાંતી બહાર નીકળવું પડે છે. હું એમ નથી કહેતો કે ડરવું ન જોઈએ પરંતુ મને લાગે છે કે, આપણે સાવધાની રાખવી જોઈએ. જે રીતે આપણે ડ્રાઈવિંગ કરતી વખતે સાવધાની રાખીએ છીએ એ જ રીતે આમાં પણ સાવધાની રાખવી પડશે.
ઘણી શરતો સાથે પ્રોડ્યૂસર્સને શૂટિંગ ફરી શરૂ કરવાની મંજૂરી સરકારે આપી છે. જેમાં સૌથી વધુ મહત્વપૂર્ણ છે એક્ટર્સ અને ક્રૂ મેમ્બર્સની સેફ્ટી, સેટ સેનિટાઈઝ કરવું, સેટ પર ડોક્ટર અને નર્સિસ સહિત એમ્બ્યુલન્સ અને સેટ પર ઓછાં લોકોની હાજરી, ખાસ કરીને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોનને શૂટિંગ કરવાની સખત મનાઈ કરવામાં આવી છે.