અસિત કુમાર મોદીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ કે,"લોકો તારક મહેતાને ખૂબ જ પ્રેમ કરે છે. 15 વર્ષ થઇ ગયા છે અને લોકો આજે પણ શોને જોવે છે
મેકર્સે બાળકો માટે TMKOC રાઇમ્સ પણ લોન્ચ કરી
ગેમ્સમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું મ્યુઝિક અને કોમિક એલિમેન્ટ
આ શો પર આધારિત એક એનિમેટેડ ફિલ્મ બનશે
ટીવીના જાણાતા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લગભગ 15 વર્ષથી સફળતાપૂર્વ ચાલી રહ્યો છે. શોની ફેન ફોલોઇંગ એટલી વધારે છે. કે મેકર્સે ગયા વર્ષે આ શોના આધારે જ એક કાર્ટૂન સીરિઝ લોન્ચ કર્યો હતો. આ મહિનાની શરુઆતમાં મેકર્સે બાળકો માટે TMKOC રાઇમ્સ પણ લોન્ચ કરી અને હવે આ શોના નિર્માતા અસિતકુમાર મોદી પણ પોતાના શો-આધારિત ગેમ રન જેઠા રનની સાથે ગેમિંગ સેક્શન પર રાજ કરી રહ્યાં છે.
અસિત કુમાર મોદીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ કે,"લોકો તારક મહેતાને ખૂબ જ પ્રેમ કરે છે. 15 વર્ષ થઇ ગયા છે અને લોકો આજે પણ શોને જોવે છે. કોઇપણ શો ના ફક્ત ટીવી પર ઓટીટી, યુટ્યુબ અને અન્ય પ્લેટફોર્મ પર જોઇ શકે છે. તેથી મના લાગ્યુ એ આ કેરેક્ટર્સ સાથે કઇ કરવુ જોઇએ."
અસિત કુમાર મોદીએ કહ્યું કે, "આજે જેઠાલાલ, બબીતા, દયાબેન, સોઢી અને શોના અન્ય પાત્રો ઘરેલુ નામ બની ગયા છે. તે દરેકના પરિવારના સભ્ય સમાન છે. અમને 15 વર્ષથી દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે અને તેથી મેં યુનિવર્સ બનાવવાનું વિચાર્યું છે." 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' યુનિવર્સ બનાવવાના વિચારને વિસ્તૃત કરતા, અસિતે જાહેર કર્યું કે તેનો હેતુ લગભગ તમામ વય જૂથો માટે કંઈક કરવાનો છે."
અસિત કુમાર મોદીએ કહ્યું, "મને લાગે છે કે દરેક વય જૂથના દર્શકોએ અમારા શો સાથે જોડાવું જોઈએ. અમારી પાસે દરેક માટે કંઈક હોવું જોઈએ. અમે આ ગેમને બ્લોકચેન સાથે જોડવા પર પણ કામ કરી રહ્યા છીએ. ટેકનોલોજી ઝડપથી વિકસી રહી છે. તેથી આપણે ટેકનોલોજી સાથે કંઈક કરવું પડશે. આના વિના આપણે કશું કરી શકતા નથી. તે ડિજિટલ વિશ્વ બની રહ્યું છે."
ગેમ્સમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું મ્યુઝિક અને કોમિક એલિમેન્ટ
અસિત મોદીએ ગેમ વિશે કહ્યું,"મેં વિચાર્યું કે ગમે તેમ કરીને લોકોને આ પાત્રો ગમે છે, તો ચાલો તેના પર એક ગેમ બનાવીએ. લોકો આજે આખો સમય ગેમ્સ રમે છે; મુસાફરી કરતી વખતે, જ્યારે તેઓ ઑફિસમાં અથવા અન્ય સ્થળોએ હોય. જ્યારે પણ લોકો ફ્રી હોય છે, ત્યારે તેઓ ગેમ રમે છે. તેથી મેં મારી પોતાની ગેમ બનાવવાનું વિચાર્યું. અમારી ગેમમાં કોમિક તત્વો પણ છે. તેણે એ પણ જણાવ્યું કે 'રન જેઠા રન'માં માત્ર શોના પાત્રો જ નથી પરંતુ તેનું મ્યુઝિક અને અન્ય એલિમેન્ટ પણ છે.
ફિલ્મ પણ બનશે અને પોપટલાલના લગ્ન પર ગેમ
અસિત કુમાર મોદીએ કન્ફોર્મ કર્યુ છે કે, આ શો ટીવી પર પ્રસારિત થતો રહેશે. તેમના માટે ટીવી મહત્વપૂર્ણ છે. તેમણે એ પણ જાહેર કર્યું કે તેઓ ટૂંક સમયમાં અન્ય રમતો શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે જેમાં દયાબેન પર આધારિત 'પોપટલાલ કી શાદી' નામની અન્ય એક ગેમ પણ હશે. અસિત કુમાર મોદીએ કહ્યું કે, આ શો પર આધારિત એક એનિમેટેડ ફિલ્મ બનશે.