મોદી સરકારની કાર્યકાળના ત્રણ વર્ષ આજે પૂરા થઈ રહ્યાં છે. આ જ દિવસે ભારતને વધુ એક મોટી ભેટ મળી છે. આસામમાં બ્રહ્મપુત્રા નદી પર બનેલો ભારતનો સૌથી લાંબો બ્રિજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુલ્લો મુક્યો. ધોલા-સાદિયા બ્રહ્મપુત્ર બ્રિજનું પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ. અસમની બ્રહ્મપુત્ર નદી પર બનાવવામાં આવેલા બ્રિજની લંબાઈ 9.15 કિલોમીટર છે. આ પુલ મુંબઈના વર્લી-બાંદ્રા સ્થિત સી લિંકથી (5.6 કિલોમીટર) આશરે બે ગણો મોટો છે. પ્રધાનમંત્રીએ એશિયાના સૌથી લાંબા બ્રિજનું નિરિક્ષણ કર્યુ અને તેમની સુવિધાઓને જાણી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુલનું ઉદ્ધાટન કર્યા બાદ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ પુલથી ખેડૂતો માટે વિકાસનો નવો માર્ગ કંડારાશે..ઢોલા -સાદિયા પુલનું નામ ભૂપેન હજારીકા પરથી રાખવાનું તેમણે સૂચવ્યું હતું. વર્ષથી જે પુલની રાહ જોવામાં આવતી હતી તેનું આજે લોકાર્પણ થતાં રાજ્યમાં નવી અર્થ ક્રાંતિની શરૂઆત થશે તેમ તેમણે જણાવ્યું હતું.
આજે પીએમ મોદીએ દેશના સૌથી મોટા પૂલનું ઉદ્ઘાટન કર્યુ છે. અને આ પૂલ દેશની જનતાને સર્મપિત કર્યો છે. શું છે આ પુલની ખાસિયત ? અને ભારત માટે શું મહત્વ ધરાવે છે આ પુલ ? જોઇએ આ અહેવાલમાં
ભારતે ચીન સરહદે બનાવેલા દેશના સૌથી મોટા પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. આજે પ્રધાનમંત્રી મોદીએ અસમમાં તેનું ઉદ્ઘાટન કર્યું. સુરક્ષા અને સમૃદ્ધિનો ડંકો વગાડનાર આ પૂલ અનેક રીતે ભારત માટે મહત્વનો છે. નેપાળમાં બનેલા ઢોલા-સાદિયા પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પૂલના ઉદ્ઘાટન સાથે NDA સરકારના ત્રણ વર્ષની ઉજવણીની શરૂઆત થશે. આ પુલને સીમા પર ચીન સામે સુરક્ષાના પ્રહરી તરીકે જોવામાં આવી રહ્યું છે.