ચંદ્ર (mission moon) પર ભારતના બીજા મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2 (Chandrayaan-2) ને શ્રી હરિકોટાથી સૌથી શક્તિશાળી રૉકેટ GSLV-માર્ક III-M1 (બાહુબલી)ને આધારે લોન્ચ કરી દીધેલ છે. ચંદ્રયાન-2ના લોન્ચિંગ પર સમગ્ર દુનિયાની નજર હતી. પૂરી દુનિયાની મીડિયાએ ચંદ્રયાન-2ના લોન્ચિંગને કવર કરેલ છે.
ન્યૂ દિલ્હીઃ ચંદ્ર (mission moon) પર ભારતના બીજા મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2 (Chandrayaan-2) ને શ્રી હરિકોટાથી સૌથી શક્તિશાળી રૉકેટ GSLV-માર્ક III-M1 (બાહુબલી)ને આધારે લોન્ચ કરી દીધેલ છે. ચંદ્રયાન-2ના લોન્ચિંગ પર સમગ્ર દુનિયાની નજર હતી. પૂરી દુનિયાની મીડિયાએ ચંદ્રયાન-2ના લોન્ચિંગને કવર કરેલ છે. પરંતુ અંદાજે-અંદાજે તમામ લોકોનો આને જોવાની નજર અલગ હતી. એવામાં ત્યારે આપણે જોઇએ કે આંતરરાષ્ટ્રીય મીડિયાના કેટલાંક રિપોર્ટ્સ પર આપણે નજર રાખીએ.
પાકિસ્તાની મીડિયા શું કહે છે?
પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઇટ ડૉને લખ્યું કે, 'ભારતની અંતરિક્ષ એજન્સી સોમાવારના રોજ ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ ક્ષેત્રમાં ઉતરવા માટે એક માનવરહિત અંતરિક્ષ યાનને લોન્ચ કરેલ છે. આ લૉન્ચ એક સપ્તાહ પહેલા થવાનુ હતું. પરંતુ ત્યારે આને એક ટેક્નિકલ સમસ્યાને કારણોસર ટાળી દેવામાં આવ્યું. ડૉને આગળ વધુમાં એમ લખ્યુ કે જેવું બપોરના 2 વાગીને 43 મિનીટ પર રૉકેટનુ સફળ લોન્ચ થયુ કે તુરંત જ મિશન કંટ્રોલ સેન્ટર વૈજ્ઞાનિકોની તાળીઓની ગડગડાહટથી ગુંજી ઉઠ્યું. ડૉને પણ એમ લખ્યુ હતું કે જો ભારતનું યાન ચંદ્રમા પર લેન્ડિંગ કરે છે તો તે અમેરિકા, રશિયા અને ચીન બાદ આવુ કરનાર ચોથો દેશ હશે.'
અમેરિકી મીડિયાનું શું કહેવુ છે?
અમેરિકી મીડિયાએ પણ ચંદ્રયાન-2ના લોન્ચિંગને કવર કરેલ છે. અમેરિકી વર્તમાનપત્ર ન્યૂયોર્ક ટાઇમ્સની વેબસાઇટે લખ્યું કે, "અંતિમ મિનીટમાં પહેલા પ્રયાસને રદ્દ કરવાના એક સપ્તાહ બાદ ચંદ્રયાન-2 મિશનને સોમવારના સાંજના 2:43 કલાકે લોન્ચ કરી દીધેલ છે. આને ભારતનાં દક્ષિણ-પૂર્વી તટ પર બનેલ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કરેલ છે." ન્યૂયોર્ક ટાઇમ્સે આને ભારતનુ સપનું બતાવ્યુ છે.
ચીની મીડિયાનુ શું કહેવું છે?
ચીનની ન્યૂઝ એજન્સી શિન્હુઆએ લખ્યુ કે, 'ભારતે સોમવારનાં રોજ પોતાના મૂન મિશન-2 અથવા ચંદ્રયાન-2નુ સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યુ, કે જે 15 જુલાઇના ટેક્નિકલ ખરાબીને કારણ અટકાઇ ગયુ હતું. અંદાજે 150 મિલિયન અમેરિકી ડૉલરના આ ભારતીય મિશનનું લક્ષ્ય ચંદ્રમાની સપાટી પર પાણી, ખનિજ અને રૉક સંરચનાઓ પર ડેટા ભેગો કરવાનું છે.
બ્રિટિશ મીડિયા શું કહે છે?
બ્રિટિશ મીડિયામાં પણ ચંદ્રયાન-2ને કવર કરવામાં આવેલ છે. BBCની વેબસાઇટ પર ચંદ્રયાન-2ના લોન્ચિંગ પર સ્ટોરીમાં કહેવામાં આવેલ છે કે "ચંદ્રયાન-2"ને શ્રીહરિકોટા અંતરિક્ષ સ્ટેશનથી સોમવારના સ્થાનીય સમય અનુસાર બપોરના 14:43 કલાકે (9:13 જીએમટી) લોન્ચ કરવામાં આવ્યુ હતું. ભારતને આશા છે કે $150 મિલિયન (£120 મિલિયન)નું આ મિશન ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર ઉતરવાવાળું પહેલુ મિશન હશે."
રશિયન મીડિયાનું શું કહેવું છે?
ચંદ્રયાન-2ના લોન્ચિંગ પર રશિયન મીડિયાની પણ નજર હતી. ત્યાંની ન્યૂઝ વેબસાઇટ RT પર લખવામાં આવ્યુ કે, "ભારતની અંતરિક્ષ એજન્સીએ પહેલા એક ટેક્નિક ગડબડને કારણ પુનર્નિર્ધારિત કરવામાં આવતા ચંદ્ર મિશનને સફળતાપૂર્વક લોન્ચ કરી દીધેલ છે. આને ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર ઉતરવા માટે સેટ કરી દીધેલ છે. આશા છે કે આનાંથી અનેક ખોજ પણ સામે આવશે.