આજથી એશિયા ઇકોનોમિક ડાયલોગ 2022નો પ્રારંભ થયો. પુણે ઇન્ટરનેશનલ સેન્ટર પોલીસી રિસર્ચ થિંક ટેન્ક અને વિદેશ મંત્રાલય તરફથી આજથી તેનો પ્રારંભ થયો. આ સમિટ 25 ફેબ્રુઆરી સુધી ચાલશે. સમિટના પ્રથમ દિવસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એમડી અને ચેરપર્સન મુકેશ અંબાણીએ સંબોધન કર્યુ. તેઓએ ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા અને તેમાં ભારતની અગ્રિમ ભાગીદારીની વાત કહી હતી. તેઓએ ગ્રીન એનર્જીમાં રોકાણ કરવા માટે ભારતને આકર્ષક વિકલ્પ ગણાવ્યુ હતું.
પુણે IT ઉદ્યોગનું હબ-મુકેશ અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એમડી અને ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે પૂણે આઇટી ઉદ્યોગ માટે એક મોટું હબ બની ગયું છે. તેમણે કહ્યું કે સરકાર ગ્રીન એનર્જીના લક્ષ્યને હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે. ભારત સતત પ્રગતિ કરી રહ્યું છે. ભારત પોષણક્ષમ ભાવે ગ્રીન એનર્જીના ઉત્પાદનમાં વધારો કરશે. તેમણે કહ્યું કે અમારી પાસે વિશ્વનું સૌથી મોટું ગ્રાહક બજાર છે, જેના આધારે 2030 સુધીમાં વિશ્વની અર્થવ્યવસ્થામાં અમારું યોગદાન 60 ટકા સુધી પહોંચી જશે.
Climate change is the biggest threat to mankind's future. Hence, a transition from old to green and clean energy is imperative, not an option. Energy transition will also determine geopolitical transition in 21st century: Industrialist Mukesh Ambani at Asia Economic Dialogue 2022 pic.twitter.com/Ogpt5jI3mh
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એમડી અને ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ભારત ઉદ્યોગસાહસિકતાની ભાવનાથી ભરેલું છે. ભારતનો સમય છે. ભારત વિશ્વમાં સ્વચ્છ અને ગ્રીન એનર્જીમાં અગ્રેસર બનશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે ભારત અશ્મિભૂત ઈંધણના ઉપયોગથી દૂર જઈને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપશે.
'2030માં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે'
એશિયા ઈકોનોમિક ડાયલોગ (AED)માં તેમણે કહ્યું કે ભારત સરકાર ગ્રીન એનર્જી માટે ફંડિંગ માટે ગંભીર છે. ભારત વિશ્વના ઘણા દેશોમાં સ્વચ્છ ઊર્જાની નિકાસ કરી શકે છે. 2030માં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. મુકેશ અંબાણીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ વધ્યો છે. બજેટમાં ગ્રીન એનર્જી અંગે પણ મોટી જાહેરાતો કરવામાં આવી છે. આ સમયે સ્વચ્છ ઉર્જા એ એક વિકલ્પ નથી, પરંતુ જરૂરિયાત છે. હું વન્યજીવન અને પ્રકૃતિનો મોટો પ્રેમી છું. હું ફક્ત એટલું જ કહીશ કે આપણે પ્રકૃતિ અને પ્રાણીઓને બચાવવા માટે પગલાં લેવા પડશે.મુકેશ અંબાણીએ કહ્યું કે ગ્રીન એનર્જી જીવનનો માર્ગ સરળ બનાવશે. આગામી 20 વર્ષમાં દેશમાં ટેક્નોલોજી ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન આવશે. જળવાયુ પરિવર્તન માનવતા માટે ખતરો છે. તેમણે એમ પણ કહ્યું કે એશિયા વૈશ્વિક અર્થતંત્ર માટે આકર્ષણનું કેન્દ્ર છે. આજે ડેમોગ્રાફી અને ડેવલપમેન્ટ વચ્ચે વધુ સારું તાલમેલ છે.