બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એશિયા કપના સ્થળને લઈને એલાન કર્યું છે.
એશિયા કપ 2022 સંયુક્ત આરબ અમીરાતમાં રમાશે
BCCI અધ્યક્ષ ગાંગલીએ કર્યું એલાન
27મી ઓગસ્ટથી 11મી સપ્ટેમ્બર વચ્ચે રમાશે એશિયા કપ
પહેલા શ્રીલંકામાં રમાવાનો હતો એશિયા કપ હવે સ્થળ ફેરવાયું
છ ટીમ ભાગે લેશે એશિયા કપમાં
મુંબઈમાં એપેક્સ કાઉન્સિલની બેઠક બાદ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે 2022નો એશિયા કપ શ્રીલંકાને બદલે સંયુક્ત આરબ અમીરાતમાં રમાડવાનો નિર્ણય લેવાયો છે. ગાંગુલીએ કહ્યું કે એશિયા કપ યુએઈમાં યોજાશે, કારણ કે આ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં વરસાદ નહીં પડે.
Asia Cup will be held in the UAE, as it is the only place where there won't be rain (in that duration): BCCI chief Sourav Ganguly after Apex council meeting
પહેલા શ્રીલંકામાં રમાવાનો હતો એશિયા કપ
ઉલ્લેખનીય છે કે અગાઉ આ ટુર્નામેન્ટનું આયોજન શ્રીલંકામાં થવાનું હતું પરંતુ ત્યાંની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી દેશવ્યાપી હિંસક પ્રદર્શનને કારણે ત્યાં એશિયા કપનું આયોજન ન કરવાનો નિર્ણય લેવાયો હતો.
છ ટીમો ભાગ લેશે એશિયા કપમાં
27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા એશિયા કપ 2022માં છ ટીમો ભાગ લેવા જઈ રહી છે. શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન આ ટુર્નામેન્ટ માટે પહેલેથી જ ક્વોલિફાય થઈ ચૂક્યા છે. આ સાથે જ ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ બાદ છઠ્ઠી અને અંતિમ ટીમ નક્કી કરવામાં આવશે. છ ટીમોની ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ કે જેમાં હોંગકોંગ, કુવૈત, સિંગાપોર અને યુએઈનો સમાવેશ થાય છે, તેનો પ્રારંભ તારીખ 20મી ઓગસ્ટથી થશે.
એશિયા કપની સૌથી સફળ ટીમ ભારત, 7 વખત ખિતાબ જીત્યો છે
એશિયા કપનો પ્રારંભ ઈ.સ.1984માં થયો હતો અને તે અત્યાર સુધીમાં 14 વખત યોજાઈ ચૂક્યો છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે જેણે 7 વખત ખિતાબ જીત્યો છે. શ્રીલંકાએ પાંચ વખત એશિયા કપની ટ્રોફી અને પાકિસ્તાને બે વખત, શ્રીલંકાએ ટૂર્નામેન્ટની તમામ 14 આવૃત્તિઓમાં ભાગ લીધો છે, જ્યારે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમોએ 13-13 વખત આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે. ટીમ ઈન્ડિયા હાલ એશિયા કપની ચેમ્પિયન છે.