સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં રિષભ પંત રોહિત શર્માના નિર્ણયથી ખૂબ નારાજ જોવા મળી રહ્યાં છે.
રિષભ પંત રોહિત શર્માના નિર્ણયથી ખૂબ નારાજ દેખાયા
રિષભ તૈયાર હતો તેમ છતાં મેદાનમાં રમવા ના ઉતર્યો
હાર્દિક પંડ્યાને બેટીંગ માટે મેદાનમાં આવવાનો ઈશારો કરાયો
કેપ્ટન રોહિત શર્માએ રિષભ પંતનુ દિલ તોડ્યુ
ભારતીય વિકેટ કીપર બેટર રિષભ પંત માટે એશિયા કપ કોઈ ખાસ રહ્યો નથી. પહેલી બે મેચમાં તેમને તક મળી નથી અને પછી જ્યારે તક મળી તો તેઓ કશુ ખાસ કરી શક્યા નથી. બુધવારે મેચ દરમ્યાન કેપ્ટન રોહિત શર્માએ તેમનુ દિલ તોડી નાખ્યુ. રોહિતે એવો નિર્ણય લીધો કે જેનાથી પંત ખૂબ નિરાશ જોવા મળ્યાં અને આ વીડિયો ખૂબ વાયરલ થયો.
રોહિતના નિર્ણયથી પંત થયા નારાજ
ભારતની ઈનિંગ ચાલતી હતી. 12.2 ઓવર બાદ રોહિત શર્મા આઉટ થયા. તે વખતે ભારતનો સ્કોર બે વિકેટના નુકસાને 110 રન હતો. પંત ડગઆઉટમાં બેઠા હતા અને રોહિત આઉટ થતા જ મેદાનમાં જવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે તેની પાસે ઉભા રહેલા હાર્દિક પંડ્યાને બેટીંગ માટે મેદાનમાં આવવાનો ઈશારો કરવામાં આવ્યો. હાર્દિકે પૂછ્યુ મારે આવવાનુ છે અને તૈયારી કરવા લાગ્યો. રોહિતના આ નિર્ણયથી હેરાન થયેલા પંતને કશુ સમજાયુ નહીં. તેમણે હાર્દિકને પૂછ્યુ, તમે જઇ રહ્યાં છો? હાર્દિકે હામાં જવાબ આપ્યો અને નિરાશ થયેલ પંત ખુરશી પર બેસી ગયો. સોશિયલ મીડિયામાં આખી ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
જો કે, બંને બેટર કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. પંડ્યાએ 13 બોલમાં 17 રન બનાવ્યાં. તો પંત પણ માત્ર 17 રન બનાવી શક્યો. ભારતીય ટીમના બેટરોના નિરાશાજનક પ્રદર્શનના કારણે ભારત 173 રન બનાવી શક્યુ. રોહિત શર્માએ ટીમ માટે સૌથી વધુ 72 રન બનાવ્યાં. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવે 34 રનની મહત્વની ઈનિંગ રમી. સતત બે અર્ધસદી ફટકારનારા કોહલી પણ કશુ કરી શક્યા નથી અને ખાતુ ખોલવામાં નિષ્ફળ રહ્યાં છે.