એશિયા કપ ક્રિકેટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વનડે ટૂર્નામેન્ટ 15 સપ્ટેમ્બરથી રમાશે. BCCIએ શુક્રવારે મુંબઇમાં 16 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટૂર્નામેન્ટની મેચ દુબઇ અને અબુ ધાબીમાં રમાશે. ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી રોહિત શર્મા કરશે. વિરાટ કોહલી આ ટૂર્નામેન્ટમાંથી બહાર રહેશે તેણે આરામ આપવામાં આવ્યો છે.
ટીમ ઇન્ડિયામાં 20 વર્ષના લેફ્ટ આર્મ પેસર ખલીલ અહમદને શામેલ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના આ ફાસ્ટ બૉલરમાં IPL 2018માં સનરાઇઝર્સ હૈદરાબાદે 3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને તેણે એક મેચ રમવાની તક આપવામાં આવશે.
આ સિવાય યો-યો ટેસ્ટમાં નિષ્ફળ થવાના કારણે ઇંગ્લેન્ડની સીરિઝમાંથી બહાર ચાલી રહેલા અંબતિ રાયડૂને એક વખત ફરી સિલેક્ટર્સે તક આપી છે આ સાથે જ કેદાર જાધવે ટીમમાં પરત ફર્યો છે.
ટીમ ઇન્ડિયા એશિયા કપમાં પોતાની પહેલી મેચ 18 સપ્ટેમ્બરે રમશે જ્યારે એક દિવસ પછી જ ટીમ ઇન્ડિયા 19 સપ્ટેમ્બરના પાકિસ્તાન વિરુદ્ઘ મેચ રમશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 28 સપ્ટેમ્બરના દુબઇમાં રમાશે.
ટીમ ઇન્ડિયાએ 2016માં યજમાન ટીમ બાંગ્લાદેશને હારવીને એશિયા કપ ક્રિકેટ (T-20) જીત્યો હતો. ટીમ ઇન્ડિયા અત્યાર સુધી 6 વખત એશિયા કપ જીતી ચૂકી છે.
1984માં શરૂ થયેલા આ ટૂર્નામેન્ટને 5 વખત શ્રીલંકા જ્યારે પાકિસ્તાન 2 વખત જીતી ચૂકી છે.