આજથી એશિયા કપ 2018નો પ્રારંભ થશે. એશિયાઈ દેશોની છ ટીમ વચ્ચે આ કપ યોજાઈ રહ્યો છે. આજે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ જંગ થશે. ભારત પાકિસ્તાન અને હોંગકોંગ એ ગ્રૂપમાં છે. જ્યારે શ્રીલંકા બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બી ગ્રૂપમાં છે.
મહત્વની વાત છે કે બુધવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ જામશે. ભારતીય ટીમ આ વખતે રોહિત શર્માની આગેવાની હેઠળ રમશે. કારણકે વિરાટ કોહલી આ કપ રમવાના નથી. કારણકે કોહલીએ ઈંગનલેન્ડ કપ બાદ આરામ ફરમાવવાનું પસંદ કર્યું છે.
ત્યારે આ વખતે ભારતીય ટીમનું સુકાન રોહિત શર્મા સંભાળશે.. રોહિત શર્માની અગ્નિપરીક્ષા થશે. ત્યારે પાકિસ્તાનના પૂર્વ કપ્તાન મોઈન ખાનને કટાક્ષ કરતા કહ્યું કે હારના ડરથી વિરાટ કોહલી આ કપ રમી રહ્યા નથી. એશિયાકપની ફાઈનલ મેચ 28મી સપ્ટેમ્બરે યોજાશે.
આ વખતના એશિયા કપને જોનારા દર્શકોને ઘણો ફાયદો થઈ શકે છે કારણ કે જે મેચની તેઓ રાહ જોઈ રહ્યા છે એ મેચ એક નહીં બલકે ત્રણ-ત્રણ વાર રમાઈ શકે છે. જી હા અહીં વાત થઈ રહી છે ભારત-પાકિસ્તાન વચ્ચેના હાઈ વોલ્ટેજ મુકાબલાની. આ મુકાબલા ફાઇનલ સહિત ત્રણ વાર જોવા મળે તેવી શક્યતા છે.
એશિયા કપનું ફોર્મેટ અન્ય ટૂર્નામેન્ટ કરતાં થોડું અલગ છે. આ વખતે છ ટીમને ત્રણ-ત્રણનાં બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રૂપની ટોચની ચાર ટીમ સુપર-ફોરમાં સ્થાન મેળવશે. આ સ્ટેજ પરથી આ ચારેય ટીમ સામસામે ટકરાશે. સુપર-ફોરમાં બાકી વધેલી ટોચની બે ટીમ વચ્ચે ફાઇનલ રમાશે.