એશિયાની નંબર વન ગણાતી બનાસડેરીના 16 ડિરેક્ટરો માટેની ચૂંટણી માટે હાલ ઉમદેવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અને આગામી 30મી સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર નોંધાવવાનો સમય છે. ત્યારે આજે શંકર ચૌધરી પાલનપુરથી તેમજ પરબત પટેલ થરાદમાંથી ફોર્મ ભરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે બનાસ ડેરીની ચૂંટણીમાં છેલ્લા 5 દિવસમાં માત્ર 4 ફોર્મ ભરાયા છે, ત્યારે હજુ પણ 12 ફોર્મ ભરવાના બાકી છે.
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી
આજે શંકર ચૌધરી પાલનપુરમાં ફોર્મ ભરશે
થરાદમાંથી પરબત પટેલ પણ ભરશે ફોર્મ
એશિયાની નંબર વન ગણાતી બનાસડેરીના 16 ડિરેકટરો માટેની ચૂંટણી માટે આજે શંકર ચૌધરી તેમજ પરબત પટેલ ફોર્મ ભરશે તેવી શક્યતા છે. શંકર ચૌધરી પાલનપુરથી જ્યારે પરબત પટેલ થરાદામાંથી ફોર્મ ભરશે.
બનાસડેરીની ચૂંટણી માટે 30 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરાવાની અંતિમ તારીખ છે, ત્યારે છેલ્લા 5 દિવસમાં માત્ર 4 ફોર્મ ભરાયાં છે. જો કે હજુ પણ 12 ફોર્મ ભરાવવાના બાકી છે. આજે બાકી તમામ બેઠકો પર ફોર્મ ભરાય તેવી શક્યતા છે.
બનાસડેરીની ચૂંટણીમાં આંતરિક વિરોધ
જો કે સૂત્રોને મળતી માહિતી મુજબ બનાસડેરીની ચૂંટણીમાં આંતરિક વિરોધ જોવા મળી રહ્યો છે. શંકર ચૌધરી સામે ભાજપ નેતાઓ સક્રિય હોવા ની અટકળો ચાલી રહી છે. જિલ્લા ભાજપના હોદ્દેદારોએ પ્રદેશ કક્ષાએ આ અંગે રજૂઆત કરી હોવાની ચર્ચાએ જોર પક્ડયું છે. ઉલ્લેખનીય છે કે શંકર ચૌધરી અને માવજી દેસાઇ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.
બનાસડેરીની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું
બનાસ ડેરીની ચૂંટણીમાં ચેરમેન શંકર ચૌધરી સામે ભાજપના જ નેતાઓ મેદાનમાં છે. શંકર ચૌધરી સામે જિલ્લા ભાજપ સંગઠન વિરોધમાં હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપના જ નેતાઓ પોતાની પેનલ બનાવશે. પરબત પટેલ, વાઇસ ચેરમેન માવજી દેસાઇ પેનલ બનાવશે. ત્યારે હવે શંકર ચૌધરીને હરાવવા માટે ભાજપ નેતાઓ એક થયા છે. વિધાનસભા, લોકસભામાં સામસામે લડેલા ઉમેદવાર એક થયા છે.