જ્ઞાનવાપી મસ્જિદમાં ASI જે સર્વે કરવાની હતી તેને લઈને અલહાબાદ હાઈકોર્ટે રોક લગાવી છે. વારાણસીની અદાલતે આપેલા આદેશને લઈને કહ્યું કે આવો આદેશ ન આપી શકાય.
જ્ઞાનવાપી મસ્જિદમાં નહી થાય ASIનો સર્વે
અલહાદાબ હાઈકોર્ટે લગાવી રોક
વારાણસી અદાલતે આપેલા આદેશ
અલ્હાબાદ હાઈકોર્ટે વારણસીના કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં આવેલ જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વે પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે વારાણસીની અદાલતને આ મામલે કોઈ પણ કાર્યવાહી ન કરે તેવી આદેશ આપ્યા છે. વારાસણીના સિનિયર ડિવીજન સિવિલ જજે એપ્રિલમાં એએસઆઈ સર્વેક્ષણ કરવા માટે આદેશ આપ્યો હતો.
31 ઓગસ્ટથી નિર્ણય પન્ડિંગ હતો
અગાઉ હાઈકોર્ટે આ મુદ્દે 31 ઓગસ્ટના રોજ નિર્ણય પેન્ડિગ રાખ્યો હતો. વિવાદિત જમીનનો સર્વેક્ષણ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા કરે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી. આ નાત પણ મસ્જિદની ઈંતજામિયા કમિટી અને ઉત્તરપ્રદેશ સુન્ની વક્ફ બોર્ડ દ્વારા આપવામાં આવી હતી.
વારાણસી અદાલતનો આદેશ રદ કર્યો
કોર્ટમાં જે અરજી દાખલ કરવામાં આવી હતી તે મામલો હાઈકોર્ટમાં પહેલાથી પેન્ડિંગ હતો. જે મમાલે આજે હાઈકોર્ટ દ્વારા અરજી પર રોક લગાવામાં આવ્યો છે. વારાણસી અદાલતનો આદેશ રદ કરતા હાઈકોર્ટે એવું કહ્યું કે આ આદેશ ખોટો છે.
ASIને સર્વેક્ષણ કરવા આદેશ અપાયો હતો
વારણસીના જ્ઞાનવાપી પરિસરમાં મંદિર હતું કે મસ્જિદ તેને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. 1991થી આ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જે કેસમાં 2021 ની 8 એપ્રિલના રોજ ASIને સર્વેક્ષણ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને સર્વેક્ષણમાં એવો આદેશ કરવામાં આવ્યો હતો કે તે જગ્યાએ શિવલીંગ છે કે નથી તેની તપાસ કરવામાં આવે.
મંદિર પક્ષ દ્વારા નથી કરવામાં આવી કોઈ માગ
ઉલ્લેખનીય છે કે આ આદેશને લઈને અંજુમન ઈંતજામિયા મસ્જિદે 5 જુલાઈના રોજ ચેતવણી આપી હતી. તે પહેલા સુન્ની સેટ્રલ બોર્ડ દ્વારા પણ અરજી દાખલ કરવામાં આવી હતી. બીજી તરફ મંદિર પક્ષ દ્વારા કોઈ પણ માગ કરવામાં નથી આવી. જોકે મંદિર પક્ષ દ્વારા જે શપથપત્ર આપવામાં આવ્યો છે. તેમા સંસ્કૃતથી લઈને અંગ્રેજી ભાાષા સુધીના તમામ એવો કોડ લખેલા છે. જેમા મંદિર હોવાનું પ્રમાણ મળી આવે છે.