ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લાના બાંધવગઢના જંગલોમાં 2 થી 5 સદી પહેલાની 26 ગુફાઓની સાથે 26 પ્રાચીન મંદિરોની એક શ્રેણી શોધી કાઢી છે.
ભારતીય પુરાતત્વને મળ્યા 9મી સદીના સ્થાપત્યો
મધ્યપ્રદેશના બાંધવગઢના જંગલોમાં મળ્યા પ્રાચીન મંદિરો
ભગવાન વિષ્ણુની અને વરાહની મોટી પ્રતિમાઓ મળી
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લાના બાંધવગઢના જંગલોમાં 2 થી 5 સદી પહેલાની 26 ગુફાઓની સાથે 26 પ્રાચીન મંદિરોની એક શ્રેણી શોધી કાઢી છે. પુરાતત્વ ખાતાના ખોદકામમાં 26 મંદિરોની હારમાળા જોવા મળી છે, જેમાં ભગવાન વિષ્ણુની સુવાની મુદ્રાની મૂર્તિની સાથે વરાહની એક મોટી પ્રતિમા પણ મળી આવી છે. એએસઆઈની આ શોધને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શોધ માટે બાંધવગઢના લગભગ 170 ચોરસ કિ.મી.ના વિસ્તારની ઓળખ કરવામાં આવી છે. તેની સૌપ્રથમ ઓળખ 1938માં થઈ હતી.
માનવી દ્વારા ગુફાનું નિર્માણ થયું હતું
એએસઆઇના અધિક્ષક શિવકાંત બાજપાઇએ જણાવ્યું હતું કે બાંધવગઢ ટાઇગર રિઝર્વ 1,100 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. એક ઝોન તલાગરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અહીં જોવા મળતી પ્રાચીન પથ્થરની ગુફાઓ માનવીઓ દ્વારા બનાવવામાં આવે છે. તેમાં બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા ઘણા મહત્વના તથ્યો મળી આવ્યા છે. અહીં કામ કરવું સહેલું નથી કારણ કે ત્યાં વાઘ સંરક્ષણ જગ્યા છે. વન વિભાગની પરવાનગીથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
9મી સદીના સ્થાપત્યો
જણાવવામાં આવી રહ્યું છે કે આ 26 મંદિરો કલચુરી સમયના એટલે કે 9મીથી 11મી સદી સુધીના બૌદ્ધ કાળના મંદિરો છે. અહીં બે બૌદ્ધ મઠ, બે સ્તૂપ, 24 બ્રાહ્મી લિપિઓ, 46 શિલ્પો અને 15મી સદી સુધીમાં 19 પાણી સંરચના આવેલાં છે. જે 46 મૂર્તિઓ મળી છે તેમાં સૌથી મોટી વરાહની છે. આ ગુફાઓમાં બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા ઘણા રસપ્રદ તથ્યો સામે આવ્યા છે.
પુરાતત્વ સર્વેક્ષણનો અંદાજ છે કે આ તમામ મંદિરો અને મૂર્તિઓ રાજા ભીમસેન, મહારાજ પોતા શ્રી, મહારાજ ભટ્ટદેવના સમયથી છે.
સૌથી મોટી વારાહની મૂર્તિ મળી છે
એટલું જ નહીં, અહીંથી વરાહની પ્રતિમા મળી આવી છે, જે 6.4 મીટર લાંબી, 5.03 મીટર ઊંચી અને 2.77 મીટર પહોળી છે. તે અત્યાર સુધીમાં મળેલી તમામ વારાહ મૂર્તિઓ કરતા અનેકગણી મોટી છે. આ સાથે, બઢવગઢમાં જોવા મળતા 2 નવા મંદિર જૂથો અહીંના મંદિરોના સ્થાપત્યની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ શોધ છે. અહીં સ્થિત મંદિરો અને મઠો બાંધવગઢમાં મટ્ટમાયુર સંપ્રદાયના અસ્તિત્વનો સંકેત આપે છે.