લોકસભામાં બુધવારે સીનિયર સિટિઝનને રેલ ભાડામાં આપવામાં આવતી છૂટ પર પ્રશ્નો ઊઠાવાયા હતાં. તેના પર રેલ્વે મંત્રી અશ્વિની વૈશ્ણવે જવાબ આપ્યો કે દરેક રેલ યાત્રીને આજે પણ 55% કન્સેશન આપવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ગયાં વર્ષે યાત્રી સેવા પર કુલ 59000 કરોડ સબસિડી આપવામાં આવી છે.
રેલ્વે પર વરિષ્ઠોને મળતાં કન્સેશન મુદે સંસદમાં સવાલો
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યો જવાબ
કહ્યું કે 59000 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી હતી
રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે સદનમાં જણાવ્યું કે રેલ્વેમાં વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી રાહત હાલમાં પુન:સ્થાપિત નહીં કરી શકાય કારણકે યાત્રી સેવાઓને લઇને 59000 કરોડ રૂપિયાની સબસિડી ગયાં વર્ષે આપવામાં આવી છે. આ સિવાય સાર્વજનિક ટ્રાન્સપોર્ટરનાં પેન્શન અને વેતન બિલ પણ ઘણો વધારે છે.
નવનીત રાણાએ કર્યાં પ્રશ્નો
મહારાષ્ટ્રથી સ્વતંત્ર સંસદ નવનીત રાણાએ પ્રશ્ન કર્યો હતો કે ટ્રેન યાત્રામાં વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી રાહત ક્યારે પુન:સ્થાપિત થશે? તેના પર મંત્રી વૈષ્ણવે લોકસભામાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે કોવિડ-19 મહામારીની શરૂઆત બાદ જ આ કન્સેશનને સસ્પેન્ડ કરી દેવાયું છે.
59000 કરોડ રૂપિયાની અપાઇ છે સબસિડી- મંત્રી
મંત્રીએ કહ્યું કે યાત્રી સેવાઓ માટે 59000 કરોડ રૂપિયાની સબસિડી આપેલ છે જે ઘણી મોટી રકમ છે અને કેટલાર રાજ્યોનાં વાર્ષિક બજેટથી પણ વધુ છે. તેમણે આગળ જણાવ્યું કે રેલ્વેનું વાર્ષિક પેન્શન 60000 કરોડ રૂપિયા છે, વેતન બિલ 97000 કરોડ રૂપિયા છે જ્યારે ઇંધણ પર 40000 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.
દરેકને ટિકીટ પર 55% કેન્સેશન
લોકસભામાં સંસદ સુરેશ ધનોરકરે સવાલ કર્યો કે કોવિડ મહામારીથી પહેલા રેલ્વેમાં વૃદ્ધ નાગરિકો અને સ્વીકૃત ધારક પત્રકારોને જે કન્સેશન મળતું હતું, શું સરકાર તેને ફરી શરૂ કરશે? તેના પર રેલ્વે મંત્રી અશ્વિની વૈશ્ણવે કહ્યું કે દરેક રેલ્વે યાત્રીને આજે પર આશરે 55% જેટલું કન્સેશન મળી રહ્યું છે. તેમણે આગળ જણાવ્યું કે જો એક યાત્રીને લઇ જવા માટે રેલ્વેની કોસ્ટ 1.16 રૂપિયા આવે છે તો રેલ્વે યાત્રીઓથી માત્ર 40-48 પૈસા જ ચાર્જ કરે છે.
દરેક દિવસ 12 કિ.મી સુધી બનાવવામાં આવી રહ્યાં છે ટ્રેક
રેલ્વે મંત્રીએ જણાવ્યું કે રેલ્વેમાં દરેક વર્ષે 5000 કિ.મીથી વધુનો ઇલેક્ટ્રિફિકેશન કરવામાં આવી રહ્યો છે. આ રીતે 12 કિલોમીટર પ્રતિદિવસ નવા ટ્રેક લગાવવામાં આવી રહ્યાં છે જે UPA સરકારમાં 4 કિ.મી/દિવસ થતું હતું. તેમણે જણાવ્યું કે રેલ્વેમાં ઘણી નવી સુવિધાઓ આવી રહી છે જેના કારણે વરિષ્ઠોને સબસિડી આપી શકાશે નહીં. આવનારાં સમયમાં જો જરૂર પડશે અને કોઇ ફેરફારની આવશ્યકતા હશે તો જરૂરી પગલાઓ લેવામાં આવશે.