રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્વચ્છતા પખવાડિયામાં લીધો ભાગ
ભારતીય રેલવે દ્વારા સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે. હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશન ખાતે આ મિશનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાગ લીધો હતો. તેમણે પોતે ઝાડુ ઉપાડ્યું હતું અને અભિયાનનો આરંભ કરાવ્યો હતો.
સ્વચ્છતા પખવાડા
સ્વચ્છતા પખવાડાની શરૂઆત 16 સપ્ટેમ્બરથી થઇ ચુકી છે. સ્વચ્છતા પખવાડા ના પ્રથમ દિવસ 16 સપ્ટેમ્બરે “સ્વચ્છ જાગૃતિ”, 17 સપ્ટેમ્બર અને 18 સપ્ટેમ્બરે “સ્વચ્છ સ્ટેશન”, 19 સપ્ટેમ્બર અને 20 સપ્ટેમ્બરે “સ્વચ્છ ટ્રેન” દિવસ, 21 સપ્ટેમ્બરે “સ્વચ્છ ટ્રેક” દિવસ 22 સપ્ટેમ્બરે “સ્વચ્છ પરિસર” દિવસ, 23 સપ્ટેમ્બરે “સ્વચ્છ ડેપો/યાર્ડ/શેડ/રેલ્વે સંસ્થા/શાળા” દિવસ, 24 સપ્ટેમ્બરે “સ્વચ્છ રેલવે કોલોની/હેલ્થ યુનિટ/હોસ્પિટલ” દિવસ, 25 સપ્ટેમ્બરે “સ્વચ્છ શૌચાલય” દિવસ, 26 સપ્ટેમ્બરે “સ્વચ્છ નીર” દિવસ, 27 સપ્ટેમ્બરે “સ્વચ્છ પેન્ટ્રી કાર/કેન્ટીન” દિવસ, 28 સપ્ટેમ્બરે “નો પ્લાસ્ટિક ડે” દિવસ, 29 સપ્ટેમ્બરે “સ્વચ્છ સ્પર્ધા” દિવસ અને 30 સપ્ટેમ્બરે “સ્વચ્છતા પખવાડા” દરમિયાન ચલાવવામાં આવેલ દરેક પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવશે.