કેન્દ્રીય મંત્રી અને ભાજપનાં નેતા અશ્વિની ચૌબેએ કહ્યું કે સમગ્ર દુનિયા અને દેશ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તરફ જોઇ રહ્યું છે. તો બીજી તરફ નીતિશ કુમાર પર મર્યાદા ભૂલીને નેતાએ ટિપ્પણી કરતાં વિવાદ ઊભો થયો છે.
બિહારમાં અશ્વિની ચૌબેએ આપ્યું અમર્યાદિત નિવેદન
નીતિશ કુમારનાં શાસન પર ઊઠાવ્યાં સવાલો
કહ્યું કે જંગલરાજની વાપસી થઇ છે
બિહારમાં ચાલી રહેલી ગુનાહિત ઘટનાઓ પર વાત કરતાં અચાનક કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમાર વિશે અમર્યાદિત ટિપ્પણી કરવા લાગ્યાં. અશ્વિની ચૌબેએ નીતિશ કુમાર પાસે એવું કહીને રાજીનામું પણ માંગી લીધું કે તેમનાથી બિહાર સંભાળાતું નથી.
ચૌબેએ કર્યાં PMનાં ભરપૂર વખાણ
તેમણે કહ્યું કે સમગ્ર દુનિયા અને દેશ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તરફ જોઇ રહ્યું છે. પ્રધાનમંત્રીએ વિકાસપુરુષનાં રૂપમાં વિકાસ કર્યો છે. ગુજરાત-હિમાચલમાં ભાજપ બહુમતથી જીતશે. બિહારની પેટાચૂંટણીમાં પણ વિજય મળશે.
અશ્વિની ચૌબેએ કરી અમર્યાદિત ટિપ્પણી
ચૌબેએ કહ્યું કે બે દિવસથી બિહારમાં હત્યાઓ થઇ રહી છે અને બિહાર સરકાર અને નિતીશ કુમાર સંપૂર્ણરીતે નપુંસકતાનો શિકાર બન્યા છે. સરકાર અસંવેદનશીલ થઇ ગઇ છે. 2 મહિલાઓનાં ઘરમાં ઘૂસીને બાળી નખાયા. જંગલરાજની વાપસી થઇ ગઇ છે. આ જંગલરાજ નહીં તો બીજું શું છે?
મહિલાનું કર્યુ મર્ડર
6 ડિસેમ્બરનાં બિહારનાં ભાગલપુર જિલ્લાનાં ગામમાં ઉધારની નાની રકમ પરત ન કરવાને લીધે એક મહિલાની નિર્દયતાથી હત્યા કરી દેવાઇ હતી. ભાગલપુરનાં સિટી એસપી સ્વર્ણ પ્રભાતે આ મામલાનો ખુલાસો કરતાં જણાવ્યું કે શનિવારે સિંધિયા પુલની પાસે ધારદાર હથિયારથી હુમલો કરી એક મહિલાની હત્યા કરી દેવામાં આવી છે જેમાં 2 આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધેલ છે. આ મહિલાએ પોતાની પુત્રીનાં લગ્ન માટે આરોપી પાસેથી કેટલાક રૂપિયા ઉધાર લીધાં હતાં પરંતુ તે પરત કરી શકી નહીં જેથી આરોપીએ તેને નિર્દયતાથી મારી નાખી.