કોટવાલે કહ્યું કે, ભાજપ માટે કામ કરવું હોય તો અધ્યક્ષપદેથી રાજીનામું આપે તેવી માગણી પણ કરી છે. આ સાથે રાજ્યપાલને પત્ર લખી યોગ્ય દિશા નિર્દેશ આપવાની રજૂઆત પણ કરી છે.
વિધાનસભાના અધ્યક્ષનું પદ રાજકીય પદથી પર છેઃ કોટવાલ
કોંગ્રેસ MLA અશ્વિન કોટવાલે રાજ્યપાલને પત્ર લખ્યો છે. વિધાનસભાના અધ્યક્ષની ભાજપમાં સક્રિયતાને લઈ આ પત્ર લખાયો છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભાજપને જીતાડવા કામ કરી રહ્યાં હોવાનો દાવો અશ્વિન કોટવાલે કર્યો છે. વિધાનસભાના અધ્યક્ષે તટસ્થાતાથી કામ કરવું જોઈએ.
અશ્વિન કોટવાલે એ પણ કહ્યું કે, રાજેન્દ્ર ત્રિવેદી ભાજપની બેઠકમાં ઉપસ્થિત રહે છે. આવા સંજોગોમાં વિધાનસભાનું કેવી રીતે સંચાલન કરશે. અને ભાજપ માટે કામ કરવું હોય તો અધ્યક્ષપદેથી રાજીનામું આપે તેવી માગણી પણ કરી છે. આ સાથે રાજ્યપાલને પત્ર લખી યોગ્ય દિશા નિર્દેશ આપવાની રજૂઆત પણ કરી છે.