તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. ખતરો જોઈને રાષ્ટ્રપતિ અશરફ ગની પણ દેશ છોડીને ભાગી ગયા હતા. હવે અશરફ ગનીએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
અમેરિકી સેનાના ગયા પછી થોડા જ દિવસોમાં તાલિબાને ઝડપથી અફઘાનિસ્તાનના પ્રાંતો પર કબજો જમાવી લીધો. હવે તેમણે આખા અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. ખતરો જોઈને રાષ્ટ્રપતિ અશરફ ગની પણ દેશ છોડીને ભાગી ગયા હતા. હવે અશરફ ગનીએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
અશરફ ગનીએ સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં કહ્યું હતું કે, ''આજે મને મુશ્કેલ પસંદગીનો સામનો કરવો પડ્યો કે મારે સશસ્ત્ર તાલિબાનનો કે જે મહેલમાં પ્રવેશવા માંગતા હતા તેમનો સામનો કરવો જોઈએ, અથવા મારે મારા પ્રિય દેશ અફઘાનિસ્તાનને છોડી દેવો. મેં છેલ્લા વીસ વર્ષમાં અફઘાનિસ્તાનના સંરક્ષણ માટે મારું જીવન સમર્પિત કર્યું છે.''
લોહીની નદીઓ ન વહે તે માટે દેશની બહાર જવું યોગ્ય
તેમણે કહ્યું કે લોહીની નદીઓ ન વહે તે માટે, મેં વિચાર્યું કે દેશની બહાર જવું વધારે યોગ્ય છે. તાલિબાનો તલવારો અને બંદૂકોથી જીતી ગયા છે અને હવે તેઓ દેશવાસીઓના સન્માન, સંપત્તિ અને આત્મસન્માનની સુરક્ષા માટે જવાબદાર રહેશે. ઇતિહાસે આવી શક્તિઓને ક્યારેય અપનાવી નથી.
ગનીએ નિવેદનમાં વધુમાં કહ્યું કે તાલિબાન માટે અફઘાનિસ્તાનના તમામ લોકો, વિવિધ રાષ્ટ્રો, વિવિધ પ્રદેશો, બહેનો અને મહિલાઓને સ્વતંત્રતા અને લોકોના દિલ જીતવાની ખાતરી પણ આપવી જરૂરી છે. અને તેણે જનતા સાથે યોગ્ય સ્પષ્ટ યોજના બનાવવી જોઈએ. હું હંમેશા મારા દેશની સેવા કરીશ.
તાલિબાની કબજો
તમને જણાવી દઈએ કે 20 વર્ષ બાદ અફઘાનિસ્તાન પર ફરી એક વખત તાલિબાનનો કબજો છે. તેમણે દેશના રાષ્ટ્રપતિ ભવન પર પણ કબજો જમાવ્યો છે. ટોલો ન્યૂઝ અનુસાર, સત્તાના સ્થળાંતરની પ્રક્રિયા પણ અહીં પૂર્ણ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તાલિબાનને સત્તા સોંપી દીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી વચગાળાની સરકારના વચગાળાના વડા તરીકે અલી અહેમદ જલાલીનું નામ સૌથી આગળ છે. રાષ્ટ્રપતિ ગનીએ દેશ છોડી દીધો છે. અને એવું માનવામાં આવે છે કે ગની પોતે તાજિકિસ્તાન જઈ રહ્યા છે.
કાબુલ પોલીસે તેમના હથિયારો તાલિબાનને સોંપી દીધા છે. અગાઉ, ગૃહ અને વિદેશ બાબતોના કાર્યકારી પ્રધાનો અબ્દુલ સત્તાર મિરઝાકવાલે અલગ અલગ વીડિયો ક્લિપમાં ખાતરી આપી હતી કે કાબુલના લોકો સલામત રહેશે કારણ કે તેઓ આંતરરાષ્ટ્રીય સાથીઓ સાથે શહેરનો બચાવ કરશે.