BCCIએ ત્રણ સભ્યોને સમાવતી નવી એડવાઈઝરી કમિટી બનાવી છે જેમાં 3 સભ્યોને સામેલ કરાયા છે.
BCCIએ બનાવી નવી એડવાઈઝરી કમિટી
ત્રણ લોકોને સામેલ કર્યાં
અશોક મલ્હોત્રા, જતની પરાંજપે અને સુલક્ષણા નાયક સામેલ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગુરુવારે પોતાની ક્રિકેટ સલાહકાર સમિતિની નિયુક્તિની જાહેરાત કરી દીધી છે. ત્રણ સભ્યોની આ સમિતિમાં અશોક મલ્હોત્રા, જતીન પરાંજપે અને સુલક્ષણા નાયકનો સમાવેશ થાય છે.
Former India players Ashok Malhotra and Jatin Paranjape named in BCCI's Cricket Advisory Committee (CAC) to select new selection panel
કોણ છે કમિટીના નવા સભ્યો
ત્રણ સભ્યોની સમિતિના નવા સભ્ય અશોક મલ્હોત્રાએ 7 ટેસ્ટ અને 20 વન ડેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને તાજેતરમાં જ તેઓ ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે. પરાંજપે ભારત તરફથી 4 વન ડે રમી ચૂક્યા છે અને તે સિનિયર મેન્સ સિલેક્શન કમિટિમાં સામેલ હતા.
સલાહકાર કમિટી નેશનલ સિલેક્શન કમિટી પસંદ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે ગત મહિને ચેતન શર્માની આગેવાની હેઠળની ચાર સભ્યોની રાષ્ટ્રીય પસંદગી સમિતિની હકાલપટ્ટી કર્યા બાદ ત્રણ સભ્યોની સમિતિ અશોક મલ્હોત્રા, જતીન પરાંજપે અને સુલક્ષણા નાઈક પર હાલ પૂરતી રાષ્ટ્રીય પસંદગી સમિતિની પસંદગી કરવાની મોટી જવાબદારી રહેશે.