રાજસ્થાન સરકારે વિધાનસભામાં ધ્વનિમતની મદદથી વિશ્વાસમત જીતી લીધો છે, ભાજપ દ્વારા સદનમાં ગેહલોત સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. લાંબા વિવાદ બાદ આજે ફરી સચિન પાયલોટ પોતાના સાથીઓ સાથે સદનમાં પહોંચ્યા હતા. જો કે વિધાનસભામાં સીટ બદલાતા પાછળ ગેલેરીમાં બેસવાનો વારો આવ્યો હતો
રાજસ્થાન સરકારે મેળવ્યો વિશ્વાસનો મત
ભાજપે લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર સદનમાં થયું હતું વોટિંગ
અશોક ગેહલોત સરકારે ધ્વનિ મતથી મેળવ્યો વિશ્વાસ મત
રાજસ્થાનમાં છેલ્લા એક મહિનાથી રાજકીય રણસંગ્રામનો આજે વિધિપૂર્વકનો અંત આવેલો કહી શકાય તેવી ઘટના બની હતી. કોંગ્રેસના સચિન પાયલોટે બળવાખોર વલણ અપનાવ્યા બાદ રાજ્યમાં અશોક ગેહલોતની સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. જોકે, હવે રાજસ્થાનમાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોત વિશ્વાસ મત જીતી ચૂક્યા છે. આમ હાલ પૂરતું કહી શકાય કે રાજસ્થાન સરકાર પરનું સંકટ ટાળી ગયું છે.
ટ્રસ્ટ વોટ જીત્યા ગેહલોત
રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત હાંસલ કરી લીધો છે. આ વિશ્વાસનો મત ધ્વનિ માટની મદદ વડે પસાર કરાયો હતો. આ પછી કોંગ્રેસના ધારાસભ્યોમાં ખુશીની લહેર જોવા મળી હતી. જેના બાદમાં રાજસ્થાનમાં, હાલમાં વિધાનસભા સદન 21 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું.
શું કહ્યું ભાજપ વિશે...
આ અગાઉ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે ''આજે ભાજપના લોકો બગભગત બની રહ્યા છે. આ તો જાણે એવું છે કે સો ઉંદરો ખાધા પછી બિલાડી હજમાં ગઈ છે. હું હાલમાં 69 વર્ષનો છું, છેલ્લા 50 વર્ષથી રાજકારણમાં છું, પણ આજે લોકતંત્રને લઈને ચિંતામાં છું. મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે તેઓ માનનીય નેતા પ્રતિપક્ષને કહેવા માંગે છે કે તમે ગમે તેટલા પ્રયત્નો કરી લો, હું તમને કહી દેવ માંગુ છું કે હું રાજસ્થાન સરકારને પડવા નહીં દઉં.''
વસુંધરા રાજે સાથેના સંબંધોની પણ કરી સ્પષ્ટતા..
તે જ સમયે, મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમની અને વસુંધરા રાજે વચ્ચેના સંબંધો અંગે પણ સ્પષ્ટતા કરી હતી. ગેહલોતે કહ્યું કે ''એવું કહેવામાં આવ્યું છે કે અમે એક સાથે મળ્યા છીએ, પરંતુ આ વાતમાં કોઈ સત્ય નથી. મારે તેમની સાથે કોઈ વાતચીત થતી નથી. હું તો ઈચ્છું છું કે વસુંધરાજી એક વાર આવે અને એકવાર હું આવું. પરંતુ આ વખતે અમુક લોકોએ વિચાર્યું હતું કે મારે આવીને વસુંધરાજીને કિનારે મૂકી દેવા જોઈએ.''
પાયલોટ પણ આવ્યા હતા સદનમાં
સચિન પાયલોટ આપણ આજે સદનમાં આવી પહોંચ્યા હતા. જ્યાં તેમની વિધાનસભા સીટ બદલાઇ ગઈ હતી. જે બાદ તેઓ અને તેમના સમર્થિતો સાથે ગેલેરીમાં ખુરશી નાખીને બેઠા હતા. જે તેમણે કહ્યું હતું કે હાલમાં હું સરહદ પર બેઠો છું, અને સરદન પર સૌથી મજબૂત સૈનિકને મોકલવામાં આવે છે, માટે જય સુધી હું અહી છું, સરકાર સુરક્ષિત રહેશે.