રાજસ્થાનમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે તે પહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગરીબો માટે એક મોટું એલાન કરી દીધું છે. મુખ્યમંત્રી ગેહલોતે રાહુલ ગાંધીની હાજરીમાં કહ્યું કે તેઓ બીપીએલ કાર્ડ ધારકોને એપ્રિલ 2023થી 500 રુપિયામાં બાટલો આપશે, ગરીબોને વર્ષે 12 બાટલા મળશે. ગેહલોતે કહ્યું કે હું કહેવા માંગુ છું કે અમે ગરીબ અને ઉજ્જવલા યોજના હેઠળ બીપીએલ કાર્ડ ધારકોને 500 રુપિયામાં સિલિન્ડર આપીશું.
मैं अगले महीने बजट प्रस्तुत करूंगा और उसमें घोषणा करूंगा जो लोग BPL से जुड़े हैं, उन्हें एक अप्रैल के बाद से साल में 12 घरेलू सिलेंडर जिसकी कीमत 1,040 है वह हम 500 रूपए में देंगे। महंगाई में जो कुछ हम कर सकते हैं वह करेंगे: राजस्थान के मुख्यमंत्री अशोक गहलोत, अलवर pic.twitter.com/AGK1zlWQlv
આવતા મહિને બજેટમાં ફંડ ફાળવાશે
ગેહલોતે કહ્યું કે હું આવતા મહિને બજેટની તૈયારી કરી રહ્યો છું... અત્યારે તો મારે એક જ વાત કહેવી છે. ઉજ્જવલા યોજના હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબોને એલપીજી કનેક્શન તો આપી દીધું પરંતુ સિલિન્ડર ખાલી રહે છે, કારણ કે (સિલિન્ડર)ના દરો હવે ₹ 400 અને ₹ 1,040 ની વચ્ચે છે.
હાલમાં સમગ્ર દેશના એક બાટલાનો ભાવ 1040 રુપિયા
હાલમાં દેશમાં રાંધણ ગેસના બાટલાની મોંઘવારીએ કાળો કેર વર્તાવ્યો છે. એક બાટલો લોકોને 1040 રુપિયામાં પડે છે અને તેમાંય કોઈ પણ પ્રકારની સબસિડી મળતી નથી ત્યારે રાજસ્થાન સરકારે કરેલી જાહેરાત ચોક્કસપણે રાહત આપનારી છે. બીજા રાજ્યો પણ આને પગલે ચાલે તો લોકોને ઘણી રાહત થઈ શકે તેમ છે.
રાહુલ ગાંધીએ ગેહલોત સરકારની પ્રશંસા કરી
રાહુલ ગાંધીએ ગેહલોતની સરકારની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી અને અંગ્રેજી માધ્યમની 1,700 શાળાઓ ખોલવાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.