કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં અને કિસાન આંદોલનના સમર્થનમાં આજે ગહેલોત સરકારના દરેક મંત્રીઓ અને ધારાસભ્યો જયપુરમાં શહીદ સ્મારક પર બપોરે 12થી 4 સુધી ધરણા કરશે. તેમાં મુખ્યમંત્રી સહિત પરિષદના તમામ નેતાઓ હાજર રહેશે અને તેમનો હેતુ રાજ્યપાલ પર દબાણ કરવાનો છે જેથી તેઓ રાજ્ય સરકારથી પારિત વિધેયકને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલે.
આજે શહીદ સ્મારક પર ધરણા કરશે ગહેલોત સરકાર
જયપુરમાં શહીદ સ્મારક પર બપોરે 12થી 4 સુધી ધરણા
રાજ્યપાલ પર બિલ પસાર કરાવવાનું કરાશે દબાણ
બપોરે 12થી 4 સુધી કરાશે ધરણા
કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ મીડિયાને કહ્યું કે જયપુરમાં શહીદ સ્મારક પર બપોરે 12થી 4 વાગ્યા સુધી ઘરણા કરાશે. તેમાં કેન્દ્રથી ખેડૂત બિલને પરત લેવાની માંગ કરાશે. તેઓ કહ્યું કે જો કેન્દ્ર સરકાર નહીં માને તો કોગ્રેસની તરફથી 11 જાન્યુઆરી સુધી મોટું આંદોલન ચલાવાશે. તેમાં દરેક ધારાસભ્યો, મંત્રીઓ પોતાના વિસ્તારમાં ગામે ગામ જઈને ખેડૂતોને કેન્દ્રની કૃષિ બિલના નુકસાન અને રાજ્ય સરકારની તરફથી પારિત સંશોધન બિલના ફાયદા વિશે જણાવશે.
રાજ્યપાલ પર દબાણ કરવાનો થશે પ્રયાસ
કોંગ્રેસ આ ધરણા માટે રાજ્યપાલ પર દબાણ કરવા ઈચ્છે છે. રાજ્યની ગહેલોત સરકારે કેન્દ્ર સરકારની તરફથી લાગૂ કૃષિ કાયદામાં રાજસ્થાન વિધાનસભામાં 2 નવેમ્બરે વિધેયક પસાર કર્યું જેમાં વિધેયકોને પારિત કરાયાને 2 મહિના થઈ ચૂક્યા છે. પણ હજુ સુધી રાજ્યપાલ કલરાજ મિશ્રએ તેની પર સાઈન કર્યા નથી.
મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું કે ગયા મહિને રાજ્ય વિધાનસભામાં કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં પારિત કરાયેલા સંશોધન વિધેયકોને રાજભવનમાં રોકીને રાખવામાં આવ્યા છે. તેઓએ કહ્યું કે ન તો તેમને પરત લાવવામાં આવી રહ્યા છે અને ન તો રાષ્ટ્રપતિ પાસે તેમની સહમતિ લેવા માટે મોકલવામાં આવી રહ્યા છે. રાજ્યપાલના આ વિધેયક પર હસ્તાક્ષર નહીં કરવાથી મામલો હવામાં લટકી રહ્યો છે.