ગુજરાતમાં દારૂબંધી અંગે ફરી એકવાર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સવાલ ઉઠાવ્યા છે. અશોક ગેહલોતે કહ્યું કે ગુજરાતમાં દારૂ પીવાનું ચલણ છે. સીએમ વિજય રૂપાણીને પણ ખબર છે કે ગુજરાતમાં દારૂ પીવાય છે. દારૂ ગુજરાતમાં ન આવે તે માટે સીએમ રૂપાણીએ પાડોશી રાજ્યો સાથે વાત કરવી જોઇએ.
ગુજરાતમાં દારૂબંધી અંગે ફરી એકવાર બોલ્યા અશોક ગેહલોત
CM રૂપાણીને ખબર પણ છે ગુજરાતમાં દારૂ પીવાય છે
દારૂ મુદે ગુજરાત સરકાર પર CM ગેહલોતના પ્રહાર
રાજ્યમાં દારૂબંધીને લઇને ફરી રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે ફરી CM રૂપાણી પર નિશાન તાક્યું છે. રાજ્યમાં દારૂબંધીની કડક અમલવારી કરવામાં આવતી હોવાનો દાવો માત્ર કાગળ પર જ હોય તેવું વારંવાર સામે આવ્યું છે. રાજ્યભરમાં દારૂની હેરાફેરી માટે બૂટલેગરો દ્વારા નવા-નવા નુસખા અપવાના કિસ્સા પણ સામે આવે છે.
અશોક ગેહલોતે કહ્યું કે દારૂબંધી ગુજરાતમાં સદંતર નિષ્ફળ છે અને ગુજરાતની યુવા પેઢી બરબાદ થઇ રહી છે.
આ અગાઉ પણ અશોક ગેહલોતે ગત મહિને જ કહ્યું હતું કે ગુજરાતમાં દારૂ બંધી માત્ર નામની છે ત્યાં ઘરે ઘરે દારૂ પીવાય છે. જેને લઇ ઘણો વિવાદ થયો હતો. આમ ગુજરાતમાં દારૂબંધી મુદ્દે વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે. દારૂબંધીને લઇને રાજસ્થાનના CM અશોક ગેહલોતે ફરી નિવેદન આપ્યું છે.
અશોક ગેહલોતે ગત વખતે પણ સીએમ રૂપાણીને સલાહ આપી હતી કે પાડોશી રાજ્યો સાથે મળીને એકશન પ્લાન બનાવવો જોઇએ.