માર્ગ અકસ્માત પર નિયંત્રણ માટે રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે હવે ફોર વ્હીલર વાહનો માટે ડૅશબોર્ડ અથવા તો સ્ટીયરિંગ પર ડ્રાઈવરના ફેમિલીનો ફોટો લગાવવાનો નવો પ્રયોગ કરવાની તૈયારીમાં છે. ડૅશબોર્ડ અથવા સ્ટીયરિંગ પર વાહનચાલકની પોતાની પત્ની અને બાળકોની સાથે હોય તેવી તસવીર લગાવવાનું ફરજિયાત પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
પ્રાથમિક રૂપે આ પ્રયોગ સરકારી વાહનોમાં કરવામાં આવશે અને ત્યાર બાદ પ્રાઈવેટ વાહનોમાં પણ તેને ફરજિયાત કરવામાં આવશે. રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસનું કહેવું છે કે માર્ગ અકસ્માતમાં થતી મોતથી સરકાર ચિંતિત છે. એવું જોવામાં આવ્યું છે કે મોટા ભાગની દુર્ઘટના વાહનચાલકની બેજવાબદારીથી થાય છે.
પરિવહન વિભાગનું કહેવું છે કે જો ચાલકની સામે તેના પરિવારની તસવીર નજર આવશે તો તે સંભાળીને વાહન ચલાવશે. વાહન ચલાવતી સમયે તેને પોતાની પત્ની, બાળકો અને માતા-પિતાનો ખ્યાલ આવશે જેના કારણે ઓછી સ્પીડ પર સંભાળીને વાહન ચલાવશે.
સ્ટીયરિંગ પર ટિકિટ આકારનો ફોટો લાગશે
જાણકારી અનુસાર ડૅશબોર્ડ પર પોસ્ટકાર્ડ સાઈઝ અને સ્ટીયરિંગ પર ટિકિટની સાઈઝ જેટલો નાનો ફોટો લાગશે. પહેલાં સરકારી વાહનોમાં આ પ્રયોગ થશે. ત્યાર બાદ બીજા ચરણમાં એ નક્કી કરાશે કે વ્હીકલ ડીલર જ ફોટો લગાવીને ડીલીવરી આપ. જૂના વાહનોમાં પરિવહન વિભાગ ફોટો લગાવશે. આંકડાઓ અનુસાર પ્રદેશમાં વર્ષ 2018માં માર્ગ અકસ્માતમાં 10,320 લોકોના મોત થયા છે. જ્યારે ચાલુ વર્ષ 2019માં ઓગસ્ટ મહિના સુધી 5,819 લોકોના મોત થયા છે.
કયા સૌધી વધુ ગુનાઓ નોંધાય છે
રાજ્ય પોલીસ તેમ જ પરિવહન વિભાગ દ્વારા કરાયેલા વિભિન્ન સર્વેમાં સામે આવ્યું કે અધિકાંશ સડક દુર્ઘટના રેડ લાઈટ, નશામાં ડ્રાઈવીંગ, ઓવરટેક કરવું, ઓવરસ્પીડીંગ અથવા હાઈવે પર પશુઓ અચાનક આવી જવાને કારણે વધુ મોત થયા છે.
ટુ-વ્હીલર ચાલક માટે ખાસ
પરિવહન મંત્રીએ કહ્યું કે માર્ગ અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલકની મોતને રોકવા માટે યાતાયાત પોલીસ તેમ જ પરિવહન નિરીક્ષકોને ઉચ્ચ ક્વૉલિટીનું હેલ્મેટ પહેરવા લોકોને જાગૃત કર્યા છે. ટુ-વ્હીલર ચાલકોને સમજાવવામાં આવી રહ્યું છે કે હેલ્મેટને તેઓ બોજ ન સમજે.