નાગરિકતા સંશોધન કાયદો CAA નો દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વચ્ચે રાજસ્થાનની ગેહલોત સરકાર પાકિસ્તાનથી આવેલા હિંદુ શરણાર્થિઓને નાગરિકતા આપ્યા બાદ હવે સસ્તા ભાવમાં રહેવા માટે જમીન આપી રહી છે.
ગેહલોત સરકારે હિંદુ શરણાર્થીઓને આપી રહી છે જમીન પર છૂટ
100 હિંદુ પરિવારોને 50 ટકા છૂટ પર આપ્યાં જમીનના કાગળ
રાજસ્થાનમાં ગેહલોત સરકારે પાકિસ્તાનથી આવેલા ભારતમાં નાગરિકતા માટેના 100 હિંદુ પરિવારને 50 ટકા સસ્તા ભાવે જમીનના કાગળ આપ્યાં છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કેન્દ્રના નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધની વચ્ચે પાકિસ્તાનથી આવેલા હિંદુ શરણાર્થીઓને રાજસ્થાનમાં રહેવા માટે સસ્તા ભાવ પર જમીન આપવાની જાહેરાત કરી છે. જયપુરમાં જયપુર વિકાસ ઓથોરિટી દ્વારા 100 પરિવારો માટે 50 ટકા ઓછી કિંમત પર સરકારી જમીન આપવાની શરૂઆત કરી છે.
એવુ માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જેવી રીતે હિંદુ શરણાર્થીઓ વચ્ચે કોંગ્રેસને તેમના વિરોધી બતાવાનું અભિયાન કરી રહી છે, તેને ધ્યાનમાં રાખીને રાજસ્થાનની ગેહલોત સરકારે હવે પાકિસ્તાનથી આવેલા હિંદુ શરણાર્થીઓને પોતાના બનાવાની અભિયાન છેડી દીધું છે.
કોંગ્રસેના નેતા રહ્યાં દૂર
જયપુર વિકાસ ઓથોરિટી પોતાના સ્તર પર 5 પાકિસ્તાની હિંદુ શરણાર્થીઓને જમીનના કાગળ આપી આ અભિયાનની શરૂઆત કરી છે. જો કે કોંગ્રેસના નેતા આ કાર્યક્રમથી દૂર જોવા મળ્યાં. રાજસ્થાનના નગરીય વિકાસ મંત્રી શાંતિ ધારીવાલે કહ્યું કે કોંગ્રેસની સરકાર તેમના વેલફેર માટે કામ કરી રહીછે. તેમના નામ પર કોઇ રાજકારણ કરતી નથી.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં એક લાખ કરતાં વધારે પાકિસ્તાની હિંદુ શરણાર્થીઓ રહે છે. જેને લઇને મુખ્યમંત્રી અશોક ગેહલોત શરૂઆતથી જે નાગરિકતા આપવાની તરફેણ કરતાં આવ્યાં છે. લોકસભામાં અમિત શાહ આ અંગેની વાતનો ઉલ્લેખ કરી ચૂક્યાં છે અને દિલ્હીની રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ વાત કહી ચૂક્યાં છે.