ઠંડીના પ્રકોપની સાથે કોરોના સતત માથું ઉંચકી રહ્યો છે ત્યારે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ હવે ગેહલોત સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. શનિવારે ગેહલોત સરકારે બોલાવેલી બેઠકમાં રાજસ્થાનના 8 જિલ્લાઓ જયપુર, જોધપુર, કોટા, અલવર, ભીલવાડા, બીકાનેર, ઉદયપુર, અજમેરમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ કરાયો છે. આ જિલ્લામાં બજાર 7 વાગ્યા સુધી ખુલ્લા રહેશે અને રાતના 8થી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ કાયમ રહેશે.
ગુજરાત બાદ પાડોશી રાજ્યમાં પણ લગાવ્યુ કરફ્યુ
રાજસ્થાનના 8 જિલ્લાઓમાં રાત્રિ કરફ્યુ
રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે
રાજસ્થાનમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોના વધતાં મુખ્યમંત્રી અશોક ગેહલોકની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીના ઘરે શનિવારે એક બેઠક મળી હતી. આ બેઠકમાં કોરોનાથી પ્રભાવિત જિલ્લામાં ફરીથી નાઈટ કર્ફ્યૂની જાહેરાત થઈ છે. રાજસ્થાનના 8 જિલ્લામાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. હાલમાં ગુજરાતના મુખ્ય 4 શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કર્ફ્યૂ યથાવત છે. અમદાવાદમાં સતત કેસ વધી રહ્યો હોવાના કારણે આજે રવિવારે અહીં દિવસે પણ કર્ફ્યૂ કાયમ રહેશે.
राजस्थान में 3,007 नए #COVID19 मामले, 16 मौतें और 1,963 रिकवरी / डिस्चार्ज रिपोर्ट की गई।
राज्य में कुल मामलों की संख्या 2,40,676 हो गई, जिसमें 2,146 मौतें और 2,16,579 रिकवरी / डिस्चार्ज शामिल हैं। सक्रिय मामले 21,951 हैं। pic.twitter.com/d59AplNTvD
મંત્રીપરિષદની બેઠકમાં લગ્ન સમારોહમાં 100થી વધારે લોકોને સામેલ કરવાની પરમિશન નથી. સાથે જ મેડિકલ કોલેજને ફ્રી કોવિડ 19 બનાવવાનો પણ નિર્ણય લેવાયો છે. આ સિવાય એવી ઓફિસ જ્યાં 100થી વધુ કર્મચારીઓ છે ત્યાં 80 ટકા સ્ટાફ અનિવાર્ય કરાયો છે. સરકારે માસ્કને લઈને પણ કડક આદેશ આપ્યા છે. રાજસ્થાન સરકારે માસ્ક નહીં પહેરવા માટે 200થી 500 રૂપિયા સુધીનો દંડ નક્કી કર્યો છે.
CM ગેહલોતે બોલાવી હતી બેઠક
મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોરોના વધતાં શનિવારે સાંજે બેઠક બોલાવી અને અચાનક રાતે 8.30 વાગે મંત્રીપરિષદની બેઠક બોલાવી. જે મંત્રીઓ બહાર હતા તેઓ વીડિયો કોન્ફરન્સથી બેઠકમાં હાજર રહ્યા હતા. રાજસ્થાનમાં ગઈકાલે 1 દિવસમાં કોરોનાના 3007 કેસ આવ્યા છે. જયપુરમાં 552 કેસ આવતાં ફરીથી મહામારીને અટકાવવા નાઈટ કર્ફ્યૂ લાગૂ કરાયો છે.