રાજસ્થાનમાં રાત્રે 8 વાગ્યા બાદ દારૂ કે કેફી પીણાંની દુકાનો ખુલ્લી રાખવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેના માટે પોલીસ અધિકારીઓને ખાસ જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે.
રાત્રે 8 વાગ્યા પછી દારૂની દુકાનો બંધ રહેશે
સીએમ ગહેલોતે SPને સોંપી જવાબદારી
ભૂ-માફિયા અને દારૂ માફિયા માટે કમિટીની રચના- ગહેલોત
પ્રદેશમાં ભૂમાફિયાઓ સહિત અન્ય માફિયાઓની સામે કડક રહેવા રાજસ્થાન સરકાર નિયમોમાં થોડા પરિવર્તનો લાવી રહી હોય તેવું દેખાઇ રહ્યું છે. આ માફિયાઓ વિરૂદ્ધ ખાસ અભિયાન ચલાવીને કાર્યવાહી કરવામાં આવશે. ગૃહ સચિવની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવી છે. પ્રદેશમાં રાત્રે 8 વાગ્યા પછી દારૂની દુકાનો ખુલ્લી ન રહે તે માટે પોલીસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્યમંત્રી અશોક ગહેલોતે આદેશો આપ્યાં છે.
રાત્રે 8 વાગ્યા પછી દારૂની દુકાનો બંધ
તેમણે કહ્યું કે રાત્રે 8 વાગ્યા પછી દારૂની દુકાનો બંધ કરવાનો નિર્ણય અમારી સરકારે કર્યો હતો જેની સારી અસર પડી છે પરંતુ ધીરે-ધીરે આદેશ ડાયલ્યૂડ થઇ રહ્યો છે. હવે જો 8 વાગ્યા પછી પણ દારૂની દુકાનો પર કેફી પીણાંનું વેંચાણ થશે તો તે પોલીસ અને CO ની જવાબદારી રહેશે, અને ઓવરઓલ જવાબદારી SPની રહેશે.
મુખ્યમંત્રી અશોક ગહેલોત માફિયા મુદે ચિંતિત
સીએમ અશોક ગહેલોતએ ચિંતા વ્યક્ત કરી કે પ્રદેશમાં માફિયાઓનો પ્રભાવ વધી રહ્યો છે જેના કારણે જનતા હેરાન થાય છે. સીએમ એ મીડિયાને કહ્યું કે જમીનોનાં કેસો વધી રહ્યાં છે, ભૂ-માફિયા, દારૂ માફિયા, કાંકરી માફિયાની સામે કડક પગલાં ભરવા SPને વિશેષ અભિયાન ચલાવી કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યાં છે.
જમીન મામલે બોલ્યાં ગહેલોત
તેમણે કહ્યું કે જમીનોનાં મામલામાં જયપુર તો સૌથી ઉપર છે, ઉદયપુર જેવા શહેરો કે જ્યાં જમીનનાં કેસો વધુ દેખાઇ રહ્યાં છે. નકલી સોસાયટીવાળા એક જ પ્લોટને 2-3 વખત વેંચવામાં આવે છે. જયપુરમાં હજારો ફરિયાદો આવી રહી છે. પોલીસ સ્ટેશનમાં 50 હજાર ફરિયાદો આવે છે કેસ નોંધાછે અને કેટલાય લોકો દુ:ખી થાય છે.
કમિટી આપશે સૂચનો
સીએમ ગહેલોતે કહ્યું કે જમીન મામલા માટે ગૃહ સચિવની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવશે, આ કમિટી 2 મહિનામાં પોતાની રિપોર્ટ સોંપશે. કમિટીમાં યૂડીએચ, એલએસજી અને પોલીસ મળીને સૂચનો આપશે. રિપોર્ટનાં આધારે કાર્યવાહી કરવામાં આવશે.