રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારમાં લાંબા સમયથી ચાલતા રાજકીય સંકટનો અંત આવી ગયો છે, પરંતુ કડવાશ હજુ પણ તેની ચરમસીમાએ જોવા મળી રહી છે. બળવો કરનારા સચિન પાયલોટ સાથે બેઠક બાદ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે અમે આ 19 ધારાસભ્યો વિના પણ બહુમતી સાબિત કરી હોત. મહત્વનું છે કે વિવાદના 34 દિવસ બાદ બંને નેતાઓ પ્રથમ વખત આજે મળ્યા હતા.
રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારમાં લાંબા સમયથી ચાલતા રાજકીય સંકટનો અંત આવી ગયો છે, પરંતુ કડવાશ હજુ પણ તેની ચરમસીમાએ જોવા મળી રહી છે. બળવો કરનારા સચિન પાયલોટ સાથે બેઠક બાદ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે અમે આ 19 ધારાસભ્યો વિના પણ બહુમતી સાબિત કરી હોત. મહત્વનું છે કે વિવાદના 34 દિવસ બાદ બંને નેતાઓ પ્રથમ વખત આજે મળ્યા હતા.
રાજ્યમાં બંને નેતાઓ વચ્ચેનો વિવાદ લાંબા સમય સુધી રહ્યો હતો અને કોંગ્રેસના ઉચ્ચ નેતાગીરીની દખલ બાદ હવે આ વિવાદનો અંત આવ્યો છે. વિવાદના અંત પછી બંને નેતાઓ આજે પહેલી વખત મળ્યાં હતાં.
વિધાનસભા સત્ર પહેલા થઈ મુલાકાત
શુક્રવારે વિધાનસભા સત્રની શરૂઆતમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને કોંગ્રેસ વિધાનસભા પક્ષની એક બેઠક યોજવામાં આવી હતી જેમાં સચિન પાયલોટ અને અશોક ગેહલોત જૂથના તમામ ધારાસભ્યો એકસાથે દેખાયા હતા.
આ દરમિયાન મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને સચિન પાયલોટ પણ મળ્યા હતા. બેઠક દરમિયાન રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે જાહેરાત કરી હતી કે કોંગ્રેસ પોતે જ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે.
પાયલોટને મળ્યા બાદ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે અમે વિધાનસભામાં જ વિશ્વાસ મત લાવીશું. જો કે મુખ્યમંત્રીની વાતમાં નારાજગી પણ હતી જ્યારે તેમણે કહ્યું કે જે બન્યું તે બધી બાબતોને ભૂલી જવું જોઈએ. આપણે આ 19 ધારાસભ્યો વિના પણ બહુમતી સાબિત કરી દીધી હોત.
જો કે ધારાસભ્યોની નારાજગી પર સીએમ ગેહલોતે કહ્યું કે, 'જો કોઈ ધારાસભ્યની ફરિયાદ હોય તો અમે તેને દૂર કરીશું. અત્યાર મળવું હોય તો અત્યારે મળી લે અને પછી મળવું હોય તો પછી મળે.
ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે
શુક્રવારથી રાજસ્થાનમાં વિધાનસભા સત્રની શરૂઆત થઈ રહી છે. તેને ધ્યાનમાં રાખીને ગુરુવારે ભારતીય જનતા પાર્ટીની પણ મહત્વની બેઠક મળી હતી. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પણ ભાજપની આ બેઠકમાં ભાગ લીધો હતો. જ્યારે કેન્દ્રીય નેતૃત્વના પ્રતિનિધિએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.
બેઠક બાદ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ ઘોષણા કરી છે કે તે આવતીકાલે (શુક્રવારે) ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. આવી સ્થિતિમાં અશોક ગેહલોત સરકારની સામે બહુમતી સાબિત કરવાનું પડકાર છે.