બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ગુજરાત ટાઇટન્સને લાગી શકે છે વધુ એક ઝટકો, કેપ્ટન બાદ હવે કોચ પણ છોડી દેશે ટીમનો સાથ!
Last Updated: 05:31 PM, 24 July 2024
ઈન્ડિયન પ્રીમિયર લીગના ચેમ્પિયન કોચ આશીષ નેહરા ગુજરાત ટાઈટન્સને મોટો ઝટતો આપવાની તૈયારીમાં છે. માનવામાં આવી રહ્યું છે કે નેહરા આગામી આઈપીએલમાં સીઝનથી પહેલા ટીમનો સાથ છોડી શકે છે. તેની સાથે જ વિક્રમ સોલંકી પણ ટીમથી અલગ થવાની તૈયારીમાં છે.
ADVERTISEMENT
આશીષ નેહરા અને વિક્રમ સોલંકી બન્ને ગુજરાતની સાથે ડેબ્યૂ સીઝનથી જ ટીમની સાથે છે. ગુજરાતે આઈપીએલની પોતાની પહેલી સીઝનમાં ટ્રોફી જીતીને બધાનો ચોંકાવી દીધા હતા. આ સફળતાની પાછળ ટીમના મુખ્ય કોચ આશીષ નહેરાની મહત્વની ભુમિકા રહી હતી.
ADVERTISEMENT
નેહરા છોડી શકે છે ટીમનો સાથ
એવામાં જો નેહરા ટીમનો સાથ છોડે તો આ ગુજરાત માટે કોઈ મોટા ઝટકાથી કમ નથી. નેહરા પહેલા ટીમના પૂર્વ કેપ્ટન હાર્દિક પંડ્યા પણ આ ટીમથી અલગ થઈ ગયા હતા. તેના કારણે આઈપીએલના 17માં સીઝનમાં ગુજરાતનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું.
યુવરાજ સિંહની થઈ શકે છે ટીમમાં એન્ટ્રી
આશીષ નેહરાના ગુજરાત ટાઈટન્સથી હટવાની વાત પર એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાકતના પૂર્વ ધાકડ ખેલાડી યુવરાજ સિંહ ગુજરાત ટાઈટન્સના નવા મુખ્ય કોચ બની શકે છે. નેહરાના વિકલ્પ તરીકે યુવરાજ સિંહનું આવવું પણ ટીમ માટે સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. પરંતુ નવા કોચિંગ સ્ટાફની સાથે ખેલાડીઓની વચ્ચે સંતુલનમાં સમય લાગી શકે છે.
વધુ વાંચો: સૂર્ય ગોચરથી સર્જાશે લક્ષ્મી નારાયણ રાજયોગ, જેનાથી ખીલી ઉઠશે આ 5 રાશિવાળાઓનું ભાગ્ય
જણાવી દઈએ કે યુવરાજ સિંહ પોતાના સમયના સૌથી ધાકડ ખેલાડીઓમાંથી એક રહ્યા છે. તેમણે ટીમ ઈન્ડિયાને ટી20 વિશ્વ કપ 2007 અને વનડે વિશ્વ કપ 2011ને જીતવામાં મહત્વની ભુમિકા નિભાવી હતી. એવામાં આશા રાખવામાં આવી રહી છે કે યુવરાજ પોતાના કોચિંગ કરિયરમાં પણ કમાલ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT