લખીમપુરની ઘટનાને લઇને સમગ્ર દેશમાં અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. લખીમપુર ખીરીમાં ખેડૂતોના મોતને લઇને હોબાળો વધ્યો છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના દીકરા આશિષ મિશ્રનું નિવેદન સામે આવ્યું છે.
નાયબ મુખ્યમંત્રીને લેવા જઇ રહેલા કાફલા પર થયો હુમલોઃ આશિષ મિશ્ર
આશિષ મિશ્રનું કહેવું છે કે, તે ઘટનાસ્થળે હાજર હતા જ નહીં
કેન્દ્રીય મંત્રીના દીકરા આશિષ મિશ્રએ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં ઘટનાસ્થળ પર હાજર હોવાની વાતને ફગાવી દીધી છે. સમગ્ર હોબાળા પર તેમણે દાવો કર્યો છે કે, આટલા કેમેરા હતા, તો વીડિયો હોત મારી કોઈ, ફોટો હોત. ગાડી પલટી, આગ લગાવવામાં આવી, મારપીટ થઈ. તેમણે કહ્યું જીપમાં હાજર મારા 4 લોકોને મારી દેવાયા, તો મને એક પણ ખરોચ કેમ નથી આવી. આશિષ મિશ્રનું કહેવું છે કે, તેઓ ઘટનાસ્થળ પર હાજર જ નહોતા.
નાયબ મુખ્યમંત્રીને રિસીવ કરવા જઇ રહેલા કાફલા પર થયો હુમલોઃ આશિષ મિશ્ર
ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં આશિષ મિશ્રએ કહ્યું કે, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને કાર્યક્રમમાં રિસીવ કરવા માટે 3 ગાડીઓથી કાર્યકર્તા ગયા હતા. ખેડૂતોએ અમારા કાફલા પર હુમલો કર્યો. તમામ લોકો રસ્તા પર ત્યારે પ્રદર્શન વચ્ચે કેટલાક લોકોએ ગાડી પર પથ્થરમારો કર્યો, જેનાથી તેમનું ઘટનાસ્થળે મોત થઇ ગયું. ત્યારબાદ ગાડીઓમાં આગ લગાવી દેવાઇ.
કેન્દ્રીય મંત્રી અજય મિશ્રના દીકરા આશિષ મિશ્રએ દાવો કર્યો કે 4 ભાજપના કાર્યકર્તાઓને માર મારીને મારી નાખવામાં આવ્યા છે. આ લોકો પોતાને ખેડૂત બતાવી રહ્યા છે ખેડૂત આવું ન કરી શકે. તેમણે કહ્યું કે, તેમને ઘટનાની માહિતી સાડા ત્રણ વાગ્યા આસપાસ મળી. તેમણે માહિતી આપી કે ડ્રાઇવર જેમનું મોત થયું છે તેનું નામ હરિઓમ છે.
હું ઘટનાસ્થળથી 4 કિલોમીટર દૂર કાર્યક્રમ સ્થળ પર હાજર હતોઃ આશિષ મિશ્ર
સંયુક્ત કિસાન મોર્ચાના ફાયરિંગ અને ગાડી ચડાવવાના આરોપ પર બોલતા તેમણે કહ્યું કે, જ્યારે હું ત્યાં હતો જ નહીં તો કેવી રીતે સંભવ છે. આશિષ મિશ્રનું કહેવું છે કે તેઓ ઘટનાસ્થળથી 4 કિલોમીટર દૂર કાર્યક્રમમાં હાજર હતા, ગાડી તેમનો ડ્રાઇવર ચલાવી રહ્યો હતો. આશિષ મિશ્રએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઇએ.