અમદાવાદ બોપલ વિસ્તારમાં રહેલા એસ્ટેટ શેર બ્રોકર અશેષ અગ્રવાલ ગુમ થવા મામલે નવો વળાંક આવ્યો છે. અશેષ અગ્રવાલે સન બિલ્ડરના નામે કરોડો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. અશેષ અગ્રવાલ એસ્ટેટ શેર બ્રોકર હોવાથી રોકાણકારોમાં IAS અને IPSના કરોડો રૂપિયાનું રોકાણ થયું હોવાનું પણ જણાઈ રહ્યું છે.
કરોડો રૂપિયાનું ફુંલેકુ ફેરવી હોવાની શંકા
પોલીસને શંકા છે કે બ્રોકર અશેષ અગ્રવાલ કરોડો રૂપિયાનું ફુંલેકુ ફેરવી ભાંગી ગયો હોવાનું મનાઈ રહ્યું છે. મહત્વનું છે કે બ્રોકર અશેષ અગ્રવાલના બે મોબાઈલ અને 3 સીમકાર્ડ પોલીસને હાથ લાગ્યા છે. પોલીસે સીમ કાર્ડની વિગતો મેળવી તપાસ શરૂ કરી દીધી છે, તેમજ બ્રોકર અશેષ અગ્રવાલની બિનવારસી કાર મળી આવી હતી તે કારની આસપાસની સીસીટીવી કેમેરાને આધારે પણ તપાસ શરૂ કરી છે. અશેષ અગ્રવાલ ગુજરાતની બહાર પોલીસને શંકા સેવી રહી છે.
અશેષના શેરબજારમાં કરોડો ડૂબ્યા હોવાથી શંકા
આ અગાઉ બ્રોકર અશેષ અગ્રવાલ ગુમ થવા અંગે પરિવારજનો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. જે બાદ પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો બ્રોકર અશેષ અગ્રવાલનું છેલ્લું લોકેશન વસ્ત્રાપુરમાંથી મળી આવ્યા હતા. તેમજ અશેષના 2 મોબાઈલ અને કાર રહસ્યમય મળી આવ્યા છે.પોલીસ તપાસમાં અશેષના શેરબજારમાં કરોડો ડૂબ્યા હોવાથી શંકા સેવાઈ છે કાંતો અશેષ કરોડોનું ફુલેકુ ફેરવી ફરાર થઈ ગયો હોવાની પણ શંકા સેવવામાં આવી રહી છે
અગ્રવાલ ગુજરાતની બહાર પોલીસને શંકા
અશેષના પરિવારે પોલીસ ફરિયાદમાં નિષ્પક્ષ તપાસની માંગ કરી છે તેમજ પરિવારે અશેષના ભાગીદાર રિપલ પટેલ પર આક્ષેપ કરી તે સમગ્ર મામલે જાણતા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. પરિવાર મીડિયા મારફતે અશેષ સલામત ઘરે પરત ફરે તેવી અપીલ કરી રહી છે પરંતું હજુ સુધી અશેષનો કોઈ પત્તો લાગ્યો નથી ત્યારે સેટેલાઈટ પોલીસે પરિવાર,મિત્રો તથા રોકાણકારોની તપાસ શરૂ કરી છે.