ચીફ ઑફ ડિફેન્સ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતની અસ્થિઓનું વિસર્જન આવતીકાલે બપોરે ઉત્તરાખંડના હરિદ્વારમાં કરવામાં આવશે.
બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત પંચમહાભૂતમાં વિલિન
હરિદ્વારમાં થશે અસ્થિ વિસર્જન
વરિષ્ઠ મહાનુભાવો રહેશે ઉપસ્થિત
આ પ્રસંગે સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ અને રાજ્યના અન્ય ઘણા વરિષ્ઠ મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જણાવી દઈએ કે શોકગ્રસ્ત રાષ્ટ્રે શુક્રવારે સાંજે સીડીએસ રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને ભીની આંખો સાથે અંતિમ વિદાય આપી હતી.
દિલ્હી કેન્ટના બરાર સ્ક્વેરમાં થયાં અંતિમ સંસ્કાર
Ashes' immersion of CDS General Bipin Rawat and his wife Madhulika Rawat to be done in Haridwar, Uttarakhand tomorrow around noon. Minister of State for Defence Ajay Bhatt and several other senior dignitaries from the state to be present on the occasion
દિલ્હી કેન્ટના બરાર સ્ક્વેર સ્મશાનગૃહમાં જનરલ રાવત અને તેમની પત્નીના પાર્થિવ દેહને તેમની પુત્રીઓએ મુખાગ્નિ આપ્યો હતો. બંનેના નશ્વર દેહ પાંચ તત્વોમાં ભળી ગયા. જનરલ રાવત અને તેમની પત્નીના સંસ્કૃતમાં મંત્રોચ્ચાર વચ્ચે સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નિર્ધારિત પ્રોટોકોલ મુજબ, તેમને આર્મી બેન્ડની ધૂન પર 17 તોપોની સલામી આપવામાં આવી હતી. તેમની બંને પુત્રીઓ - તારિણી અને કૃતિકા - એ અંતિમ સંસ્કાર સંબંધિત ધાર્મિક વિધિઓ કરી હતી. લાખો લોકોએ ટેલિવિઝન પર આ ભાવનાત્મક ક્ષણ નિહાળી.
લોકો તીરંગા લઈને રસ્તા પર દોડ્યા
જ્યારે CDS રાવતની અંતિમ યાત્રા શરૂ થઈ ત્યારે દિલ્હીમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આખી અંતિમ યાત્રામાં હજારો યુવાનો પોતાના હાથોમાં તીરંગાઓ લઈને દોડતા રહ્યા. CDS બિપિન રાવતની અંતિમયાત્રામાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. લોકો ત્રિરંગા સાથે દોડતા નજરે ચડયા હતા. આ ઉપરાંત કેટલાક લોકોએ અંતિમયાત્રામાં નારા લગાવ્યા, 'જબ તક સૂરજ ચાંદ રહેગા બિપિનજીકા નામ રહેગા' આખા દેશના લોકોએ દેશના વિરોને અંતિમ અંજલિ આપી હતી. આજે આખો આજે ભાવુક થઈ ગયો હતો.
પાલમ એરપોર્ટ પર હૃદયદ્રાવક દ્રશ્ય સર્જાયા
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે પાલમ એરપોર્ટ પર હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. એરપોર્ટના એક હેંગરમાં 13 શબપેટીઓ રાખવામાં આવી હતી અને આ દરમિયાન પરિવારના સભ્યો પણ હાજર હતા. ભારતીય વાયુસેનાના C-130J એરક્રાફ્ટ દ્વારા સુલુર એરબેઝથી મૃતદેહોને દિલ્હી લાવવામાં આવ્યા હતા. વિમાન લગભગ 7.35 વાગ્યે પાલમ ટેકનિકલ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. આ પહેલા તમિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટના બાદ સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો હતો. ગુરુવારે પાલમ એરપોર્ટ પર સશસ્ત્ર દળોના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપનારાઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સામેલ હતા. ભારતીય સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે, ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમાર, એર ચીફ માર્શલ એવીઆર ચૌધરી અને સંરક્ષણ સચિવ અજય કુમાર સહિત દેશના ટોચના સૈન્ય અધિકારીઓએ પણ શોક સમારંભમાં અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.
આ લોકો પણ મૃતકોમાં સામેલ છે
દુર્ઘટનામાં માર્યા ગયેલા અન્ય જવાનોમાં લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, વિંગ કમાન્ડર પીએસ ચૌહાણ, સ્ક્વોડ્રન લીડર કે સિંહ, જેડબલ્યુઓ દાસ, જેડબલ્યુઓ પ્રદીપ એ, હવાલદાર સતપાલ, નાઈક ગુરસેવક સિંહ, નાઈક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાઈક વિવેક કુમાર અને લાન્સ નાઈક સાઈ તેજાનો સમાવેશ થાય છે. સમાવેશ થાય છે.