મહેસુલ વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. જેમાં ધંધુકા શહેરના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ધંધુકામાં અશાંત ધારો લાગુ
મેહસૂલ વિભાગે કરી જાહેરાત
મિલક વેચાણ માટે લેવી પડશે મંજૂરી
ગુજરાતમાં વધુ એક નગરમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં અશાંતધારા અંગે જાહેરાત કરવામાં આવી છે. અશાંત ધારો લાગુ થયા બાદ ધંધુકામાં મિલકત વેચવા માટે કલેક્ટરને જાણ કરવી પડશે. તેમજ મિલકત વેચાણનું કારણ જણાવું પડશે. ઉલ્લેખનીય છે કે, ઘણા સમયથી ધંધુકાના કેટલાક વિસ્તારના લોકો અશાંત ધારો લાગુ કરવા માંગ કરી રહ્યા હતા.
અશાંત ધારા એટલે શું?
જ્યારે મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે. મિલકત વેચવા માટે કલેક્ટરને જાણ કરવી પડે. કલેક્ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડે. મિલકત કોને વેચી રહ્યાં છો તેની વિગત પણ આપવી પડે. કલેક્ટર ખરીદનાર-વેચનારની સુનાવણી હાથ ધરે. કલેક્ટરને ઠીક લાગે તો જ સોદો થયેલો ગણાય.
અશાંતધારાથી કોમી વૈમનસ્ય પર કંટ્રોલ
કોમી તોફાનો પછી મિલકતોના ખરીદ-વેચાણની ફરિયાદો હતી. જેના પગલે અશાંત ધારા નામે કાયદો બનાવાયો. તોફાનો બાદ ખાલી પડેલી મિલકતો પચાવી પાડતા હતા. કોમી વૈમનસ્ય વધે નહી તે માટે અશાંત ધારો ઉપયોગી.