મહેસાણા: ઊંઝાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ આશા પટેલ આખરે હવે ભાજપમાં જોડાયા હતા...આશા પટેલ ભાજપમાં જોડાવવા માટે પાટણ પહોંચ્યા હતા. જ્યાં તેઓ પોતાના સમર્થકો સાથે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. મહત્વનું છે કે કોંગ્રેસમાં તેમની રજૂઆતોને કોઈ ધ્યાને ન લેતું હોવાના આક્ષેપ સાથે આશા પટેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું.
ત્યારથી આશા બેન પટેલ ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી. જેનો આજે અંત આવી ગયો છે અને આશા બેન પટેલે પોતે જ જાહેરાત કરી છે કે સમર્થકોએ તેમને ભાજપમાં જોડાવવા જણાવ્યું છે અને હવે તે ભાજપમાં જોડાયા હતા.
કોનું પત્તું કપાઇ શકે..?
તો આ સાથે જ જયશ્રીબેનને ભાજપ જાકારો આપી શકે છે. જેનું મુખ્ય કારણ જયશ્રીબેન પાસના આંદોલનને નાથવામાં નિષ્ફળ રહ્યાં છે અને ભાજપ આ બેઠક ગુમાવી રહી હોવાના પણ રિપોર્ટ પ્રાપ્ત થયાં છે આ તમામ બાબતો વચ્ચે જો આશાબેન કેસરિયા કરે તો જીવાભાઇ અને આશાબેન વચ્ચે કટ્ટર હરિફાઇ થઇ શકે છે અને ભાજપને મોટો ફાયદો થવાની શક્યતા ઉભી થાય છે. ત્યારે આ તમામ રાજકીય તર્ક-વિતર્ક વચ્ચે કોંગ્રેસમાંથી તાજેતરમાં રાજીનામું આપનાર ડો. આશા પટેલ આવનારા સમયમાં ભાજપનો હાથ ઝાલે છે કે તે જોવું જ રહ્યું.
કોણ છે આશાબેન પટેલ..?
ગત વિધાનસભા ચૂંટણીમાં પાટીદારોના ગઢ ગણાતા મહેસાણાના ઉંઝામાંથી ભાજપના નારણભાઈ પટેલ સામે કોંગ્રેસે ડૉકટર આશાબહેનને મેદાને ઉતાર્યા હતા. અને તેઓની જીત થઈ હતી. જોકે હવે પાર્ટીમાં તેમની અવગણના થતી હોવાનુ સુત્રો કહી રહ્યા છે. અને તેઓ ભાજપનો ખેસ ધારણ કરે તેવી પણ શક્યતા છે.
જણાવી દઈએ કે નારણ પટેલનો દબદબો ઉંઝામાં 1997થી હતો. ભાજપનો એક સમયનો ગઢ હતો જેના કાંગરા ખેરવવાનું કામ આશા બહેને 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કર્યું હતું. એટલે કે કોંગ્રેસના તેઓ કદાવર નેતા હતા તેમાં બેમત નથી.આશાબેન પટેલ એ ઊંઝામાં કદાવર નેતા ગણાય છે. આ વર્ષે લોકસભાની સીટની પણ માગ કરી હતી. જેઓ લોકસભા લડે તેવી પણ સંભાવના હતી.
પાસના સમર્થક એવા ડો. આશાબેન પટેલ ઊંઝામાં ભાજપના કદાવર નેતાને હરાવીને જીત્યા હતા. ઊંઝા એ ભાજપનો ગઢ ગણાય છે પણ પાસ આંદોલન સમયે ડો. આશાબેનની જીત થઈ હતી. અહીં પાટીદારોનું વર્ચસ્વ છે. આશાબેન કદાચ હવે સાંસદ તરીકેની ચૂંટણી લડે તેવી સંભાવના છે. હાલમાં તેઓ ભાજપમાં જોડાવાની અફવાઓ ચાલી રહી છે.
મહેસાણામાં ભાજપ પાસે સક્ષમ ઉમેદવાર નથી. હાલમાં જયશ્રીબેનને ભાજપ ઘરભેગા કરે તેવી પૂરી સંભાવના છે. પાસનું આંદોલન મહેસાણામાં આજે પણ સક્રિય છે. પાસના સમર્થક એવા જયશ્રીબેનને ટીકિટ આપી ભાજપ મહેસાણા બેઠક કબજે કરવા માગતી હોવાના રાજકીય સૂત્રો જણાવી રહ્યાં છે.
મહેસાણાએ નીતિનભાઈનો ગઠ હોવા છતાં તેઓ પણ માંડ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. મહેસાણા લોકસભા બેઠક હારે તેવી સંભાવના વચ્ચે ભાજપે આ માસ્ટરસ્ટ્રોક માર્યો હોવાનું કહેવાય છે. જો આશાબેન ભાજપમાં જોડાશે તો તેઓ લોકસભાના ઉમેદવાર હશે એ નક્કી છે.
જયશ્રીબેન પટેલ પાસના આંદોલનને નાથવામાં નિષ્ફળ રહ્યાં છે. ભાજપ આ બેઠક ગુમાવી રહ્યું હોવાનો રિપોર્ટ છે. ત્યારે ભાજપે આ બેઠક કબજે કરવા માટે પાસના સમર્થક આશાબેન પટેલને ભાજપમાં લઇને લોકસભાની ચૂંટણી લડાવી શકે છે. હવે જીવાભાઈ પટેલને સૌથી મોટી ચિંતા ઉભી થઈ છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ મહેસાણા બેઠક માટે ભાજપમાં જોડાયા છે. હવે આશાબેન મેદાને આવી જતાં જીવાભાઈ અને આશાંબેન વચ્ચે કટ્ટર હરિફાઈ થાય તેવી પૂરી સંભાવના છે.