આશાબેન પટેલના નિધનથી રાજકારણમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આજે 6 વાગ્યાથી ઊંઝા માર્કેટ યાર્ડ ખાતે અંતિમદર્શન માટે રાખવામાં આવશે કાલે સિદ્ધપુર મુક્તિધામ ખાતે અંતિમક્રિયા કરાશે તેમના નિધન પર દિગ્ગજ નેતાઓએ શોક વ્યક્ત કર્યું છે
ઊંઝાના MLA આશાબેન પટેલનું નિધન
રાજેન્દ્ર ત્રિવેદી,પૂર્વ DyCMમે પણ દુ:ખ વ્યક્ત કર્યું
કાલે સિદ્ધપુર મુક્તિધામ ખાતે અંતિમક્રિયા કરાશે
વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટના માધ્યમથી ભાજપના MLA આશાબેન પટેલના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે તેણે કહ્યું કે ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલના અવસાનથી દુ:ખ અનુભવું છું. તાજેતરમાં જ તેઓ સાથે સંસદ ભવન ખાતે મુલાકાત થયેલ હતી. સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના... ઓમ શાંતી
ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલના અવસાનથી દુ:ખ અનુભવું છું. તાજેતરમાં જ તેઓ સાથે સંસદ ભવન ખાતે મુલાકાત થયેલ હતી. સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના... ઓમ શાંતી...॥ pic.twitter.com/tC95BcXQMR
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ BJP MLA આશાબેનના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે, તેમણે કહ્યું કે ઊંઝાના ભાજપા ધારાસભ્ય ડો.આશાબેન પટેલના આકસ્મિક નિધનથી ખૂબ જ વ્યથિત છું. વિસ્તારના વિકાસ અને જનસેવા પ્રત્યે આશાબેનનું સમર્પણ અને પ્રતિબદ્ધતા પ્રેરણાદાયી છે. તેમનું અવસાન સમાજ અને ગુજરાત ભાજપા પરિવાર માટે મોટી ખોટ છે. હું તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ૐ શાંતિ.
ઊંઝાના ભાજપા ધારાસભ્ય ડો.આશાબેન પટેલના આકસ્મિક નિધનથી ખૂબ જ વ્યથિત છું. વિસ્તારના વિકાસ અને જનસેવા પ્રત્યે આશાબેનનું સમર્પણ અને પ્રતિબદ્ધતા પ્રેરણાદાયી છે. તેમનું અવસાન સમાજ અને ગુજરાત ભાજપા પરિવાર માટે મોટી ખોટ છે. હું તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ૐ શાંતિ.
ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન થતા ગુજરાતના રાજકારણમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે, આશાબેનનું ડેનગ્યૂના કારણે મલ્ટી ઓર્ગન અસર પડી હતી તે માટે તેમને સારવાર અર્થે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરતું મલ્ટી ઓર્ગન ફેઇલ થઇ જતા તેમનું આજે નિધન થયું છે. આશાબેનના પાર્થિવ દેહને આજે સાંજે 6 વાગ્યાથી ઊંઝા માર્કેટ યાર્ડ ખાતે અંતિમદર્શન માટે રાખવામાં આવશે. તેમજ કાલે સવારે પાર્થિવ દેહને તેમના વતન વિસોડ મુકામે લઈ જવાશે અને સિદ્ધપુર મુક્તિ ધામ ખાતે અંતિમક્રિયા કરાશે આજે આશાબેનનું નિધનથી ગુજરાતના રાજકારણમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
રાજેન્દ્ર ત્રિવેદી,પૂર્વ DyCMમે પણ દુ:ખ વ્યક્ત કર્યું
આશાબેનના નિધનના સમાચાર મળતા ગુજરાતા દિગ્ગજ નેતાઓએ શોકની લાગણી વ્યક્ત કરી હતી અને પોતાની પ્રતિક્રિયા આપી હતી. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આશાબેન પટેલના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે આશાબેન ખુબ સ્પષ્ટ વક્તા હતા અને અભ્યાસુ હતા, સ્વતંત્ર વિચારો પણ રજૂ કરી શકતા હતા, આવું મહિલા ધારાસભ્યમાં ખૂબ ઓછું હોય છે છેલ્લે સ્પીકર તરીકે હું છત્તીસગઢ ગયો હતો તેમાં આશાબેન પણ હતા, પ્રાર્થના કરું છું ભગવાન તેમની આત્માની શાંતિ અર્પે. ઊંઝાના ધારાસભ્ય આશાબેન લઈને પૂર્વ DyCM નીતિન પટેલે પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે ડૉક્ટરોની અથાગ મહેનત છતાં બચાવી શક્યા નહીં આશાબેન બધાને સાથે રાખીને કામ કરતા હતા, તેઓના જવાથી મહેસાણા અને સમગ્ર ગુજરાતને નુકસાન થયું છે તેમ જણાવ્યું હતું.
લલિત વસોયા અને બ્રિજેશ મેરજાએ પણ શોક વ્યક્ત કર્યો
ઊંઝા MLA આશાબેન પટેલનું ડેન્ગ્યુના કારણે નિધન થતા તેમના સાથી ધારાસભ્યો તથા પાટીદાર ધારાસભ્યોએ દુ:ખ વ્યક્ત કર્યુ હતું.લલિત વસોયા અને બ્રિજેશ મેરજાએ જણાવ્યુ કે આશાબેનના જવાથી સમાજને મોટી ખોટ પડશે અને સમાજે એક તેજસ્વી વ્યકિત ગુમાવ્યા છે. તો પાટીદાર અગ્રણી સી.કે.પટેલ આશાબેનના નિધનના સમાચારથી સમાજ શોકમાં અને ન પુરી થાય તેવી ખોટ વર્તાઈ છે તેવું જણાવ્યું હતું. ઊંઝાના ધારાસભ્યના નિધન પર લલિત કગથરા કહ્યું કે આશાબેન જાહેર જીવનમાં ઉભરતું વ્યકિતત્વ હતું આશાબેનના જવાથી સમાજને મોટી ખોટ વર્તાશે આ તરફ ધારાસભ્ય બાબુ જમના પટેલની પ્રતિક્રિયા સામે આવી હતી. બેન સમાજ માટે રાત દિવસ જોયા વગર કામ કરતા, તેમના જવાથી સમાજ અને પક્ષને મોટી ખોટ સર્જાઈ છે, તેમણે ટૂંકા ગાળા માં ખુબ મોટું કામ કર્યું છે.
આજે ઝાયડસમાં સારવાર દરમિયાન આશાબને પટેલનું નિધન
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના મહિલા અધ્યક્ષ ડૉ.જાગૃતિબેન પટેલ શોક વ્યક્ત કરતા નિવેદન આપ્યું કે આશાબેનના નિધનથી મોટી ખોટ પડી આશાબેન સમાજના લોખંડી મહિલા હતા અમારા માટે પ્રેરણાસ્ત્રોત હતા, મહત્વનું છે કે ઊંઝા બેઠકથી ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલ કડવા પાટીદારનો શિક્ષિત યુવા ચહેરો છે. તેઓએ એશિયના સૌથી મોટી ઊંઝા APMCમાં પોતાની સમર્થનવાળી પેનલને વિજેતા બનાવી ઊંઝા APMCમાં નારણ પટેલના દબદબાને ખતમ કર્યો હતો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નારણ પટેલને આપી કોંગ્રેસની ટિકિટ પર વિજેતા બન્યા હતા કોંગ્રેસમાં આંતર વિગ્રહ,જૂથવાદથી કંટાળીને તેમણે કોંગ્રેસને અલવિદા કહ્યું હતું. પાછળથી ભાજપે ઊંઝાથી જ ડો.આશા પટેલને ટીકીટ આપી અને તેઓ ચૂંટાઈ આવ્યા હતા. બાદમાં ઊંઝા APMCમાં પણ તેઓએ દબદબો બનાવવામાં સફળતા મેળવી હતી
કાલે સિદ્ધપુર મુક્તિધામ ખાતે અંતિમક્રિયા કરાશે
મહત્વનું છે કે આજે MLA આશા પટેલની તબિયત નાજૂક થતા સી.આર.પાટીલ સહિત ભાજપના નેતાઓએ આશાબેનને પૂછ્યા ખબર અંતર પૂછ્યા હતા. આશાબેનની સવારે તબિયત સારી હતી પરતું બપોર બાદ સ્થિતિ બગડી હતી તબીબોના મતે આશાબેન બોડી રિસ્પોન્સ ઓછો કરી રહ્યા હતા તેવુ સી.આર. પાટીલે જણાવ્યું હતું જ્યારે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્લેટલેટ્સ કાઉન્ટ પણ 30 હજારથી વધુ થયા હતા બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી રહ્યું હતું લીવરમાં એસ.જી.પી.ટી. કાઉન્ટ પણ વધ્યા હતા આશાબેન પટેલનું શરીર રિસ્પોન્ડ કરી રહ્યું હતું મહત્વનું છે કે ગઈ કાલે CM ભૂપેન્દ્ર પટેલે ઝાયડ્સ હોસ્પિટલમાં આશાબેન પટેલના ખબરઅંતર પૂછ્યા હતા, આજે બપોર બાદ તેઓની એકાએક તબિયત ફરી લથડતા તેમનું નિધન થયું છે. જેને લઈ ગુજરાતના રાજકારણમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આજે તેમના પાર્થિવ દેહને ઊંઝા લઇ જવાશે અને આવતીકાલે પાર્થિવ દેહને તેમના વતન વિસોડ લઇ જવાશે જ્યાં સિદ્ધપુર મુક્તિધામ ખાતે અંતિમક્રિયા કરાશે.