કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશા પટેલ ભારે રાજકીય ડ્રામેબાજી બાદ ભાજપમાં જોડાયા હતા. ત્યારે હવે આશા પટેલના ભાજપના જોડાવાના કારણો આવ્યા સામે છે. આશાબહેન પટેલ ધારાસભ્ય પદેથી કેમ રાજીનામું તેના કારણો સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર દિનેશ પટેલે ખેલ પાડ્યો છે. આશાબહેન પટેલના રાજીનામા પાછળ દીનેશ પટેલનુ ભેજૂં હોવાનું સામે આવ્યું છે.
દીનેશ પટેલ અને કે.સી. પટેલ વેવાઇ થાય છે. દિનેશ પટેલ ઉંઝા એપીએમસીના ચેરમેન બની શકે છે. દિનેશ પટેલ એ નારણ પટેલના વિરુદ્ધના જુથના છે. નારણ પટેલથી દિનેશ પટેલ નારાજ હતા. આશાબહેન પટેલને ભાજપમાં ભેળવવા માટે દિનેશ પટેલે મનાવ્યા હતા.
મહત્વનું છે કે થોડા સમય અગાઉ અમિત શાહ સાથે આશાબેન પટેલની બેઠક યોજાઇ હતી. આશાબેન કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા બાદ તેમની સર્કિટ હાઉસમાં અમિત શાહ સાથે બંધબારણે બેઠક યોજાઇ હતી. ઉંઝાના દિનેશ પટેલ પણ આ બેઠકમાં હાજર રહ્યાં હતાં.
અગાઉ પણ એવી વાત સામે આવી હતી કે દિનેશ પટેલને ઊંઝા APMCના ચેરમેન બનાવવા આશા પટેલે રાજીનામું ધર્યુ. બિલ્ડર દિનેશ પટેલે આશાબેનને MLA બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. દિનેશ પટેલ ભાજપના પ્રદેશ મહામંત્રી કે.સી પટેલના વેવાઈ છે. તેઓ ઊંઝા APMCના ચેરમેન બનવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતના રાજકારણનો પાયો જ ઊંઝા APMC ગણાય છે. આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય નારણભાઈ લલ્લુભાઈ પટેલનો રાજકીય દબદબો રહ્યો છે.