બાબરી મસ્જિદ તોડવાના મામલે CBI કોર્ટના નિર્ણયથી AIMIM ચીફ અસાદુદ્દીન ઓવૈસીએ નારાજગી વ્યક્ત કરી છે.
તેમણે ટ્વીટર ઉપર એક શાયરી લખીને પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે વહી કાતિલ, વહી મુસનીફ, અદાલત ઉસકી, વો શાહિદ; બહુત ફેંસલો મેં અબ તરફદારી ભી હોતી હૈ.
આજનો નિર્ણય ભારતની અદાલત માટે એક કાળો દિવસ
ઓવૈસીએ કહ્યું કે CBI કોર્ટની આજનો નિર્ણય ભારતની અદાલત માટે એક કાળો દિવસ છે. શું મસ્જિદ જાદુથી ગાયબ થઇ ગઈ? શું અંદર જાદુથી મૂર્તિઓ મુકવામાં આવી હતી? શું જાદુથી તાળા ખોલવામાં આવ્યા હતા? સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે જે ફેંસલો લીધો હતો, આ ચુકાદો તેની વિરુદ્ધમાં છે. તેમણે વધુમાં કહ્યું કે અડવાણીની રથયાત્રા જ્યાં પણ ગઈ ત્યાં હિંસા થઇ, લૂંટફાટ થઇ અને લોકોના ઘર બાળી નાખવામાં આવ્યા.
Barrister @asadowaisi addresses a press conference on Farmers Bill issue & Bihar Elections. He also spoke about the Uttar Pradesh & Moinabad Rape Cases https://t.co/IDUODLN0ru
તેમણે કહ્યું કે શું એ સાચું નથી કે ઉમા ભારતીએ કહ્યું હતું કે એક ધક્કા ઓર દો, બાબરી મસ્જિદ તોડ દો. જયારે બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવામાં આવી ત્યારે ઉમા ભારતી અને અડવાણી મીઠાઈઓ નહોતા ખાઈ રહ્યા? તેમણે કહ્યું કે CBI આ નિર્ણય સામે અપીલ કરશે કે કેમ એ હવે જોવાનું રહ્યું.મને આશા છે કે AIMPLB આ ચુકાદા સામે અપીલ કરશે.
કોર્ટે ભાજપના 32 આરોપીઓને નિર્દોષ
તેમણે કહ્યું કે મને તે સમયના પત્રકારો અને પોલીસ અધિકારીઓ માટે દુઃખ થાય છે જેમને કોર્ટમાં જઈને કહ્યું કે આ એક પૂર્વનિયોજિત કાવતરું હતું પણ કોર્ટે તેમની દલીલોને રદબાતલ કરી નાખવામાં આવી.
નોંધનીય છે કે અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના રોજ વિવાદિત ઢાંચાને તોડવા મુદ્દે CBIની સ્પેશ્યલ કોર્ટે ચુકાદો આપ્યો હતો. અદાલતે આ મુદ્દે ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, ઉમા ભારતી, વિનય કટિયાર સહિતના 32 આરોપીઓને નિર્દોષ સાબિત કર્યા છે.