રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ રેપના આરોપી આસારામની તબિયત લથડી છે. કોરોના સંક્રમિત થયા બાદ આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.
આસારામની તબિયત લથડી
જોધપુર જેલમાં કાપે છે સજા
ICUમાં દાખલ આસારામ
કોરોના વાયરસનો શિકાર બન્યા બાદ આસારામ બાપુની તબિયત લથડવા લાગી હતી જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ICUમાં દાખલ આસારામ
મહત્વનું છે કે આસારામને જોધપુરમાં મહાત્મા ગાંધી હોસ્પિટલના આઇસીયુમાં એડમિટ કરવામાં આવ્યા છે. આ પહેલા આ જ વર્ષની ફેબ્રુઆરીમાં આસારામને છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જેલમાં કાપી રહ્યાં છે સજા
ઉલ્લેખનીય છે કે આસારામ એક સગીરાના દુષ્કર્મ મામલે જોધપૂર જેલમાં સજા કાપી રહ્યાં છે. કોર્ટના કહ્યાં અનુસાર આસારામને 15 ઓગસ્ટ 2013ના દિવસે જોધપૂરમાં એક સગીરાને પોતાનો શિકાર બનાવી હતી.
કોર્ટે આસારામને આઇપીસીની ધારા 340, 342, 354, 376, 506, 120 અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ એક્ટ હેઠળ સજા ફરમાવી છે.
રાજસ્થાનમાં કોરોના
તમને જણાવી દઇએ કે બુધવારે રાજસ્થાનમાં કોરોનાના 16815ના નવા કેસ સામે આવ્યા છે. જ્યારે વાયરસથી 155 દર્દીઓના મોત થયા હતા. આ સમયે રાજસ્થાનમાં કોરોનાના 1,96,683 એક્ટિવ દર્દી છે. અહીં કોરોના વાયરસના અત્યાર સુધી 5021 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.