રાજસ્થાન અને ગુજરાતમાં આસારામ વિરૂદ્ધ ચાલી રહેલ દુષ્કર્મ કેસમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકારનાં કાયદા વિભાગે નિર્ણય કર્યો છે. જેમાં ટ્રાયલ કોર્ટે નિર્દોશ છોડેલા આરોપીઓ સામે સરકાર હાઈકોર્ટમાં જશે.
આશારામ વિરૂદ્ધ દુષ્કર્મ કેસમાં મહત્વનો નિર્ણય
રાજ્ય સરકારના કાયદા વિભાગે કર્યો નિર્ણય
ટ્રાયલ કોર્ટે નિર્દોશ છોડેલા આરોપીઓ સામે HCમાં જશે સરકાર
રાજ્ય સરકારનાં કાયદા વિભાગે આસારામ વિરૂદ્ધ દુષ્કર્મ કેસમાં મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં કેસમાં ટ્રાયલ કોર્ટે નિર્દોશ છોડેલા 6 આરોપીઓ સામે સરકાર હાઈકોર્ટમાં અપીલ કરશે.6 આરોપીઓને ટ્રાયલ કોર્ટે નિર્દોષ છોડ્યા હતા. ત્યારે આસારામને ગુજરાત તેમજ રાજસ્થાનનો કેસ અલગ અલગ હોઈ સજા એક સાથે કાપવાનો નિર્ણય લેવાની ટ્રાયલ કોર્ટને સત્તા નથી. જે બાબતે કાયદાકીય અભિપ્રાય અપાયો છે.
6 ઓક્ટોમ્બરનાં રોજ આસારામ સહિત 7 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો
30 જાન્યુઆરીનાં રોજ આસારામને સુરતની બે યુવતી પર દુષ્કર્મ કેસમાં દોષીત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે આસારામ સિવાયનાં 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા હતા. ત્યારે સમગ્રે કેસની વિગત કરીએ તો સુરતની બે યુવતીઓ પર વર્ષ 2001 માં દુષ્કર્મ બાદ 2013 માં આસારામ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. આ દુષ્કર્મ કેસમાં 6 ઓક્ટોમ્બરનાં રોજ આસારામ સહિત 7 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો.