આસારામ પર 15 અને 16 ઓગસ્ટ 2013ની રાત્રીએ પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ છે. જે કેસનો આજે ચુકાદો આવવાનો છે ત્યારે ગુજરાત રાજસ્થાન અને હરિયાણામાં હાઈએલર્ટ કરવામાં આવ્યું છે.
જોધપુરમાં આજે આસારામ કેસનો ચૂકાદો યોજાવા જઈ રહ્યો છે. આવું ભાગ્યેજ બનતું હોય છે કે જેલમાં જ કોર્ટ ઊભી કરીને સુનાવણી હાથ ધરવામાં આવે. ત્યારે કોર્ટના પિરસરમાં ઉમટેલા આસારામના સમર્થકોએ હરેરામના સુત્રોચ્ચાર કર્યા હતા. તો પરિસરમાં લગાવવામાં આવેલા પોસ્ટર્સ પણ પોલીસ દ્વારા હટાવી લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ગુજરાતના અમદાવાદમાં મોટેરા સ્થિત અને સુરતમાં આસારામના આશ્રમમાં સાધકોની ચહલપહલ વધી છે. તો અમદાવાદ મોટેરા આશ્રમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરાયો છે.