જોધપુર કોર્ટ દ્વારા આસારામને ઉંમરકેદની સજા સંભળાવી દેવાઇ છે. સગીર બાળકી સાથેનાં રેપ કેસમાં જોધપુર કોર્ટે આસારામને સજા સંભળાવી દીધી છે. આ નિર્ણય પર પીડિતાનાં પિતાએ જણાવ્યું કે "હવે અમને ન્યાય મળ્યો છે. કોર્ટ તરફથી એવાં લોકોને પણ ન્યાય મળ્યો છે કે જેમની હત્યા કરી નાખવામાં આવી હતી અથવા તો અપહરણ કરી લેવામાં આવ્યું હતું.
પીડિતનાં પરિવારજનોનું એમ કહેવું છે કે હું એવાં દરેક લોકોને અભિનંદન પાઠવવા ઇચ્છું છું કે જેઓએ આ લડાઇમાં મારી મદદ કરી અને મારી સાથે ઊભા રહ્યાં. બીજી બાજુ કોર્ટનો નિર્ણય આવ્યાં બાદ આસારામનાં વકીલ વિકાસ પાહવાએ કહ્યું કે "હજી સુધી મેં નિર્ણયની કોપી જોઇ જ નથી જેથી હું કંઇ જ વધારે ના કહી શકું. બચાવ પક્ષ સતત એવું કહેતા રહે છે કે પીડિતાની ઉંમર 18 વર્ષથી ઓછી છે પરંતુ તે 18 વર્ષથી વધારે છે અને આનાં પર્યાપ્ત પુરાવા પણ છે.
આસારામનાં વકીલે જણાવ્યું કે "નિર્ણયની કોપી આવ્યાં બાદ તેનું વિશ્લેષણ કરવામાં આવશે. ત્યાં જ આસારામની પ્રવક્તા નીલમ દુબેએ કહ્યું કે અમને ન્યાયપાલિકા પર સંપૂર્ણ ભરોસો છે. અમે અમારી લીગલ ટીમ સાથે વાત કર્યા બાદ આગળનો વધુ નિર્ણય ઉઠાવીશું."
ઉલ્લેખનીય છે કે આસારામને સગીર વયની છોકરી પરનાં બળાત્કારનાં કેસમાં આરોપી સાબિત કરી દેવાયા બાદ તેને ઉંમરકેદની સજા સંભળાવી દેવામાં આવી છે. આસારામ એક સગીર છોકરીનાં રેપ પરનાં આરોપમાં છેલ્લાં 4 વર્ષ ને 7 મહિનાથી જેલમાં બંધ છે ને એમાંય હવે આસારામને આજીવન કેદની સજા સંભળાવી દેવામાં આવી છે.